Groundnut Oil Prices: રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું બંપર ઉત્પાદન થયું છે તેમ છતાં સિંગતેલના ભાવમાં ભડકો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ જવાની ભીતિ છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં એક જ દિવસમાં 30 રૂપિયાનો વધારો થતાં ભાવ 2660-2740 પર પહોંચ્યો છે. મગફળીની ખરીદી ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.


શિયાળામાં મગફળીનું સેવન કરવાથી શરીરને થાય છે આ અદભૂત ફાયદા


શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો ઘણા પ્રકારના ડ્રાયફ્રુટ્સ ખાય છે. શિયાળામાં મગફળીનો વપરાશ વધી જાય છે. જાણો તેના ફાયદા શું છે.


શિયાળાની ઋતુ આવતાની સાથે જ બજારમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં વેચાણ થવા લાગે છે. તમે નોકરી પર જતી વખતે બસમાં મુસાફરી કરતા હોવ કે ટ્રેનમાં તમારા વતન ગામ જતા હો, તમને ચોક્કસ તમારી બાજુમાં મગફળી ખાતા કોઈને કોઈ વ્યક્તિ મળશે. અથવા મુસાફરીમાં ટાઇમ પાસ માટે પણ લોકો મગફળી ખાતા હોય છે.  મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન અને વિટામીન છે, જે આપણા શરીરને ઘણા ફાયદા આપે છે. મગફળીમાં પોલીફેનોલ નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.


એક દિવસમાં કેટલી મગફળી ખાવી જોઇએ?


શિયાળામાં મગફળી કોઈ દવાથી ઓછી નથી. ઘણા લોકો મગફળીને સસ્તી બદામ પણ કહે છે કારણ કે તેમાં બદામ જેટલા પોષક તત્વો હોય છે. એક સ્વસ્થ વ્યક્તિ એક દિવસમાં 40 ગ્રામ એટલે કે લગભગ મુઠ્ઠીભર મગફળી ખાઈ શકે છે. આ ચરબી અને કોલેસ્ટ્રોલ બંનેના લેબલને ઘટાડી શકે છે. આવો જાણીએ શિયાળાની ઋતુમાં મગફળી ખાવાથી શું ફાયદા થાય છે.









મગફળીમાં વિટામિન અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જેમાંથી એક વિટામિન E છે. વિટામિન E શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે અને આપણને અંદરથી ગરમ રાખે છે.


 શિયાળામાં બે સમયનો ખોરાક ખાવાથી એસિડિટી થવા લાગે છે. આ સ્થિતિમાં, દરરોજ રાત્રે એક મુઠ્ઠી મગફળી પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી ખાઓ. તેનાથી એસિડિટીની સમસ્યા ઓછી થાય છે


ટાઈપ ટુ ડાયાબિટીસથી પીડિત લોકો મગફળીનું સેવન કરી શકે છે. મગફળી ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે


 શિયાળામાં સૂકી હવાના કારણે આપણી ત્વચા શુષ્ક થવા લાગે છે. આવી સ્થિતિમાં મગફળીનું સેવન કરીને ત્વચાને શુષ્કતાથી બચાવી શકાય છે.


હાડકાં મજબૂત


મગફળીમાં મેગ્નેશિયમ, વિટામિન ઈ અને ફાઈબર મળી આવે છે જે ઠંડીમાં હાડકાંને મજબૂત બનાવે છે. તેમાં જોવા મળતી કુદરતી ચરબી સ્વાસ્થ્ય, ત્વચા અને વાળ માટે પણ સારી માનવામાં આવે છે.


મગફળી ખાધા પછી ક્યારેય પાણી ન પીવું. સાથે જ દૂધ, આઈસ્ક્રીમ અને ખાટા ફળો ખાધા પછી ન ખાવા જોઈએ. જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હોય તો મગફળીનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.