પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોના ખાતામાં 4 મહિનાના અંતરે 2-2 હજાર રૂપિયાના 3 હપ્તામાં મોકલવામાં આવે છે. હાલમાં ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 14 હપ્તા મોકલવામાં આવ્યા છે. સરકારે 15મા હપ્તા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. પ્રથમ વખત પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે તમે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જઈને નોંધણી કરાવી શકો છો.


આ રીતે રજિસ્ટ્રેશન કરો


સૌથી પહેલા તમારે PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જવું પડશે. આ પછી તમારે સ્ક્રીન પર ફાર્મર કોર્નર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે New Farmer ના વિકલ્પ પર ક્લિક કરીને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આમાં, તમારે ગ્રામીણ ખેડૂત નોંધણી અથવા શહેરી ખેડૂત નોંધણીના વિકલ્પમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરવો પડશે. હવે તમારું આધાર કાર્ડ, મોબાઈલ નંબર એડ કરો. તમારું રાજ્ય પસંદ કરો અને Get OTP પર ક્લિક કરો.


OTP દાખલ કર્યા પછી તમારે રજિસ્ટ્રેશન માટે પ્રક્રિયા વિકલ્પ પસંદ કરવો પડશે. આ પછી તમારે બાકીની માહિતી માહિતી દાખલ કરવી પડશે. હવે તમે આધાર ઓથેન્ટિકેશન માટે આગળ વધો. હવે તમારે તમારા દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને સેવ બટન પર ક્લિક કરવું પડશે. તમારી અરજી સ્વીકાર્યા પછી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.                                                           


અહીં સંપર્ક કરો


ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયાનો હપ્તો મોકલવામાં આવ્યો છે. જો તમે પીએમ કિસાન યોજનાના લાયક લાભાર્થી છો અને હજુ પણ તમારા ખાતામાં 14મા હપ્તાના પૈસા આવ્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. હપ્તો ન મળવા માટે અથવા કોઈપણ પ્રકારની મદદ માટે તમે સત્તાવાર ઈમેલ આઈડી pmkisan-ict@gov.in પર સંપર્ક કરી શકો છો. તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઈન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. આવી સ્થિતિમાં જો તમે આ યોજના માટે પાત્ર છો તો પછીના હપ્તામાં 14મા હપ્તાની રકમ ઉમેરીને મોકલી શકાય છે.