અમદાવાદઃ 9 મુસાફરો સાથે જતી રીક્ષાને કારે મારી ટક્કર, પાંચના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jun 2017 04:03 PM (IST)

1
2
અકસ્માત બાદ કાર ચાલક કાર મુકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર થોડા સમય માટે વાહનવ્યવહારન અસર થઈ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ગુનો નોંધીને કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથધરી હતી.
3
જ્યારે અન્ય લોકો ઘાયલ થતા તેમને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકમાં કુલદીપ ચક્રવર્તી, વિજયસિંહ કુશવાહ, મહેન્દ્રભાઈ નાથાભાઈ વણઝરા અને અન્ય એક અજાણી વ્યક્તિ સહિત પાંચના મોત થયા છે.
4
અમદાવાદઃ શહેરના નારોલ-અસલાસી હાઈ-વે પર ગઈ કાલે મોડી રાત્રે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. કાર ચાલકે ટક્કર મારતાં રીક્ષા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષામાં સવાર 9 લોકોમાંથી પાંચના મોત થયા છે.