✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતા મહિને અહમદ પટેલ લેશે રાજકીય સંન્યાસ, જાણો ક્યાં છે કારણ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Feb 2018 02:48 PM (IST)
1

આ ઉપરાંત રાહુલ ગાંધીએ તેમને પોતાના રાજકીય સલાહકાર નહી બનાવી શકાય તેમ સ્પષ્ટ કરી દીધું છે. રાહુલ ગાંધી મોટા ભાગે અશોક ગેહલોતને પોતાના રાજકીય સલાહકાર નિમે તેવી શક્યતા છે. આ કારણોસર અહમદ પટેલ રાજકીય સંન્યાસ લઈ રહ્યા છે તેવી પણ વાત છે.

2

આ પરિણામો પછી રાહુલે અહમદ પટેલને નિવૃત્તિ લેવા વિનંતી કરી હોવાનું મનાય છે. અહમદ પટેલ લાંબા સમય સુધી કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહ્યા હતા. હવે સોનિયા ગાંધી પોતે સક્રિય નથી ત્યારે તેમની ભૂમિકા મર્યાદિત થઈ ગઈ છે.

3

આ ટીકાના પગલે રાહુલ ગાંધીએ પોતાના ચૂંટણી પ્રચારથી અહમદ પટેલને દૂર રાખ્યા હતા. અહમદ પટેલની કોઈ સક્રિય ભૂમિકા ચૂંટણીનાં જોવા નહોતી મળી. વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પૂરનો મુદ્દો નડ્યો હતો અને ઉત્તર ગુજરાતમાં તેને ધારી સફળતા ના મળી.

4

અહમદ પટેલને હરાવવા ભાજપે ભારે પ્રયત્ન કર્યા હતા પણ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બેંગલોર મોકલીને અહમદ પટેલની જીત પાકી કરી હતી. ઉત્તર ગુજરાતમાં એ વખતે જ ભારે વરસાદ પડ્યો હતો અને પૂરની સ્થિતી સર્જાઈ હતી. આ કારણે કોંગ્રેસના ધારાસભ્યોની આકરી ટીકા થઈ હતી.

5

ગુજરાતમાં થોડાક મહિના પહેલાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલ જીતી ગયા હતા પણ આ ચૂંટણી જીતવા તેમણે ભારે મહેનત કરવી પડી હતી. અહમદ પટેલને 44 મત મળ્યા હતા અને આ પૈકી 43 મત કોંગ્રેસના ધારાસભ્યોના હતા.

6

અહમદ પટેલના રાજકીય સંન્યાસ માટે તેમની તબિયતને મુખ્ય કારણ માનવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત લથડી છે તેથી તે વધારે સક્રિય નથી રહેતા. આ ઉપરાંત રાહુલ ગાંધી સોફ્ટ હિન્દુત્વ તરફ આગળ વધી રહ્યા છે તેથી પણ અહમદ પટેલને દૂર કરાઈ રહ્યા હોવાનું મનાય છે.

7

રાહુલ પોતાની નવી ટીમની જાહેરાત કરે એ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અહમદ પટેલના રાજકીય સંન્યાસનો તખ્તો પણ તૈયાર કરી દેવાયો છે. માર્ચ મહિનામાં જ અહમદ પટેલ પણ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરશે. રાહુલ ગાંધીની નવી ટીમમાં અહમદ પટેલ નહીં હોય એ પહેલેથી નક્કી છે તે જોતાં આ જાહેરાત અપેક્ષિત છે.

8

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બન્યા એ સાથે જ કોંગ્રેસની ટીમમાં ફેરફાર થશે એ નક્કી છે. રાહુલે હજુ પોતાની નવી ટીમની જાહેરાત નથી કરી પણ માર્ચ મહિનામાં યોજાનારા કોંગ્રેસના મહાઅધિવેશન પહેલાં તેની જાહેરાત થશે તેવું કોંગ્રેસનાં વર્તુળો જણાવી રહ્યાં છે.

  • હોમ
  • અમદાવાદ
  • આવતા મહિને અહમદ પટેલ લેશે રાજકીય સંન્યાસ, જાણો ક્યાં છે કારણ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.