બાપુના રવાડે ચડીને ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો ના ઘરના રહ્યા ના ઘાટના, ભાજપે કઈ રીતે કરી નાંખ્યો તેમનો દાવ ? જાણે હવે તેમનું શું થશે ?

કોંગ્રેસના બેંગલોર ગયેલા ધારાસભ્યો પૈકી સાણંદના ધારાસભ્ય કરમશી મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું હતું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ વાઘેલા, રાધવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમિત ચૌધરી, સી.કે. રાઉલજી અને ભોળાભાઈ ગોહિલ એ 7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના બળવંતસિંહ રાજપૂતને મત આપ્યો હતો.
સાથે સાથે ભાજપે શંકરસિંહ વાઘેલાનો પણ દાવ કરી નાંખ્યો. ભાજપે એક સાથે શંકરસિંહ વાઘેલા જૂથના તમામ ધારાસભ્યોને નવરા કરી નાંખ્યા છે. વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ પણ ચૂંટણી ના લડી શકે તે સ્થિતીમાં તેમને લાવીને મૂકી દીધા છે. આ રીતે ભાજપે બાપુને ખબર ના પડે તે રીતે તેમના આખા જૂથને સાફ કરી દીધું છે.
ભાજપે આ આઠેય ધારાસભ્યોને ફરી ટિકિટ ના આપવી પડે એ માટે તેમને ઉંધા રવાડે ચડ્યા. આ રીતે ભાજપે ટાઢે પાણીએ ખશ કાઢી છે. આ ધારાસભ્યો હવે ભાજપ પાસે ટિકિટ માગવા જાય તેવી પણ સ્થિતી રહેશે નહીં તેથી ભાજપે પોતાના પક્ષમાં પણ અસંતોષનો સામનો નહીં કરવો પડે.
બાપુના રવાડે ચડેલા આ 7 ધારાસભ્યો હવે વિધાનસભાની ચૂંટણી નહી લડી શકે ત્યારે રાજકીય વર્તુળોમએણ માને છે કે, વાસ્તવમાં ભાજપે આ બળવાખોર ધારાસભ્યોનો દાવ કરી નાંખ્યો છે. ભાજપને પક્ષાંતર ધારા હેઠળ આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તે નિયમની ખબર હતી છતાં તેણે જાણી જોઈને ક્રોસ વોટિંગ માટે પ્રોત્સાહન આપ્યું.
કોંગ્રેસ આ તમામ ધારાસભ્યોને પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટે અરજી આપશે. પક્ષાંતર ધારા હેઠળ કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરીને પક્ષના આદેશથી વિરૂદ્ધ મતદાન કરે તો તે છ વર્ષ માટે કોઈ પણ ચૂંટણી લડી નહીં શકે. સુપ્રીમ કોર્ટે પણ આ ધારા હેઠળ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવતા ચુકાદા આપ્યા છે.
બીજી તરફ આ ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યોની હાલત ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા જેવી થઈ જવાની શક્યતા છે. કોંગ્રેસે પક્ષના તમામ ધારાસભ્યોને અહમદ પટેલને મત આપવા વ્હીપ આપ્યો હતો. આ વ્હીપનો અનાદર કરનારા ધારાસભ્યોને કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરશે ને ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરશે.
ગાંધીનગરઃ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિત કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું. તેમના જોરે પોતાના ત્રણેય ઉમેદવારો જીતશે તેવો દાવો ભાજપે કર્યો પણ ક્રોસ વોટિંગ ભાજપને જીતાડી શક્યું નથી. આ ક્રોસ વોટિંગ છતાં ભાજપના ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂત હારી ગયા છે.