રાજ્યસભાની ચૂંટણીમાં જેડીયુના છોટુભાઈ વસાવાએ કોને આપ્યો મત? જાણો શું થયો મોટો ધડાકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2017 06:40 PM (IST)

1
ગુજરાત જેડીયુના નેતા અંબાલાલ જાદવે સ્પષ્ટતા કરી છે કે, છોટુભાઈ વસાવાએ અહમદ પટેલને જ મત આપ્યો છે અને કે.સી. ત્યાગીને કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું કે, કે.સી. ત્યાગીને આ વિશે કશુ પણ બોલવાનો અધિકાર નથી.
2
છોટુભાઈ વસાવાએ ભાજપને મત આપ્યો હોવાનો દાવો જેડીયુના રાષ્ટ્રીય નેતા કે.સી. ત્યાગીએ કર્યો હતો. જોકે, જેડીયુના ગુજરાત એકમે ખુલાસો કર્યો છે કે, છોટુભાઈ વસાવાએ કોંગ્રેસના અહમદ પટેલને જ મત આપ્યો છે. અમે કે.સી. ત્યાગીના નિવેદનને માનતા નથી.
3
અમદાવાદઃ આજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન યોજાયું હતું. આ મતદાનમાં જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોને મત આપ્યો એ અંગે ભારે સસ્પેન્સ ચાલી રહ્યું છે.