રાજ્યના 14 IPS અધિકારીને પ્રમોશન, જાણો ક્યા ક્યા અધિકારીનો લાગ્યો નંબર ?
આ ઉપરાંત ડીઆઈજી રેન્જના અધિકારીઓ કે.જી. ભાટી (કોસ્ટલ), એસ.જી. ત્રિવેદી (કોસ્ટલ) અને ડી.એસ. ભટ્ટ (રાજકોટ એડિશનલ કમિશ્નર)ને પણ આઈજી તરીકે પ્રમોશન અપાયું છે. આ અધિકારીઓને પ્રમોશન અપાયા પછી ટૂંક સમયમાં તેમની નવા હોદ્દા પર બદલી કરવામાં આવે તેવી શક્યતા નકારાતી નથી.
સુરત રેન્જના આઈ.જી. શમશેરસિંહ, હોમ વિભાગમાં સેક્રેટરી મનોજ અગ્રવાલ આઈ.જી.માંથી એડિશનલ ડીજીપી બન્યા છે જ્યારે ડીઆઈજી બ્રિજેશકુમાર ઝા (આર્મ્ડ યુનિટ), અજયકુમાર ચધરી (આર્મ્ડ યુનિટ), અભય ચુડાસમા (ગોધરા રેન્જ), એચ.જી. પટેલ (ઈન્ટેલિજન્સ), એસ.એમ.ખત્રી (ટ્રેનિંગ સ્કૂલ)ને આઈજી બનાવાયા છે.
અમદાવાદ : લાંબા સમયથી પોલીસ ખાતામાં આઈપીએસ અધિકારીઓનાં પ્રમોશનની રાહ જોવાતી હતી. ગુજરાતની વિજય રૂપાણી સરકારે બુધવારે મોડી રાત્રે 14 આઈપીએસ અધિકારીઓને પ્રમોશન આપવાન જાહેરાત કરી હતી. સાથે સાથે સંખ્યાબંધ ટોચના અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે.
શિવાનંદ ઝા આઈબીમાં, એ.કે. સિંહ અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે, તીર્થરાજ લો એન્ડ ઓર્ડરમાં તથા આશિષ ભાટિયા સીઆઈડીમાં કામ કરવાનું ચાલુ રાખશે. માત્ર તેમની પોસ્ટ એડિશનલ ડીજીપીમાંથી જીડીપી થઈ ગઈ છે. આ ઉપરાંત અન્ય 10 આઈપીએસ અધિકારીઓને પણ પ્રમોશન આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા એડીજીપી કક્ષાના ચાર અધિકારીઓને ડીજીપીનું પ્રમોશન આપવામાં આવ્યું છે. ડીજીપી પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં શિવાનંદ ઝા, તીર્થરાજ, એ.કે.સિંઘ, આશિષ ભાટિયાનો સમાવેશ થાય છે. આ ચારેય અધિકારીના વિભાગ નથી બદલાયા.
આ પ્રમોશન મેળવનારા અધિકારીઓમાં શમશેરસિંહ, મનોજ અગ્રવાલ, બ્રજેશ કુમાર ઝા, અજય કુમાર ચૌધરી, અભય ચુડાસમા, એચ.જી. પટેલ, એસ.એમ. ખત્રી, કે.જી. ભાટી, એસ.જી. ત્રિવેદી, ડી.એસ. ભટ્ટનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને પ્રમોશન અપાયાં છે પણ અન્ય હોદ્દા પર બદલી પણ કરવામાં આવી નથી.