અમદાવાદ રથયાત્રા LIVE: ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા, મંદિરે ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

142મી રથયાત્રામાં ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તોને બપોરે પ્રસાદ પીરસવામાં આવશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 04 Jul 2019 10:18 PM
નગરચર્યાએ નીકળેલા જગન્નાથની રથયાત્રા પૂર્ણ થઇ ગઇ છે. ભગવાન જગન્નાથ નીજ મંદિર પહોંચ્યા છે. ભગવાનના દર્શન માટે નીજ મંદિર પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શાંતિપૂર્વક રથયાત્રા પૂર્ણ થવા બદલ નગરજનો તથા ખાસ કરીને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જાળવવા બદલ પોલીસ અધિકારીઓ-જવાનોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ભગવાનના રથ માણેક ચોક પહોંચ્યા હતા. થોડી ક્ષણોમાં રથ નીજ મંદિર પહોંચશે.

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પહોંચ્યા કાલુપુર પહોંચ્યા છે. ટેબલો દિલ્લી ચકલા પહોંચ્યા છે.
ભગવાનના રથ કાલુપુર બ્રિજ પહોંચી ગયા છે. જ્યારે ગજરાજ રંગીલા ચોક પહોંચ્યા છે.

પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થતા રથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકાવી દેવાઈ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રખાઈ હતી. જેના કારણે રથયાત્રા મોડી ચાલી રહી છે.

પોલીસ અને મંદિર વહીવટી તંત્ર વચ્ચે થોડી અણસમજ ઉભી થતા રથયાત્રા નિજ મંદિર પરત ફરી રહી હતી ત્યારે 45 મિનિટ કાલુપુર સર્કલ પાસે રથયાત્રા અટકાવી દેવાઈ હતી. પોલીસ રથયાત્રાને જલ્દી દોડાવી રહી હોવાનું લાગતા રથયાત્રા ઉભી રખાઈ હતી. જેના કારણે રથયાત્રા મોડી ચાલી રહી છે.
ભગવાનના રથ સરસપુરથી નીજ મંદિર જવા માટે રવાના થયા છે.
ભગવાનના રથ સરસપુરથી નીજ મંદિર જવા માટે રવાના થયા છે.

ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા રથયાત્રાના રંગે રંગાયા. ઈડરમાં નિકળેલી રથયાત્રામાં હિતુ કનોડિયાએ કરી તલવાર બાજી કરી હતી.
ભગવાનના રથ સરસપુરથી નીજમંદિર જવા રવાના થયા છે. થોડીવારમાં રથ કાલુપુર પહોંચશે. ટેબલો કાલુપુરથી પસાર થઈ રહ્યાં છે. રથયાત્રા દરમિયાન ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું અને મહાવત પર હુમલો કર્યો હતો.



ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં સવાર થઈ સરસપુરમાં પહોંચ્યા છે. મોસાળમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સરસપુરમાં હજારો ભક્તો મહાપ્રસાદ લઈ રહ્યાં છે.
જગન્નાથજીનો રથ મામાના ઘરે સરસપુરમાં પહોંચી ગયો છે. ભક્તો દર્શન માટે આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.
ભગવાનનો રથ થોડીવારમાં સરસપુર પહોંચશે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં ભક્તો રાહ જોઈ રહ્યાં છે.
ભગવાનના રથ ખાડિયાથી રવાના થઈ ગયા છે. ગજરાજ અને ટ્રકો સરસપુર પહોંચ્યા છે.
ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે આ ત્રણેય રથ રાયપુર ચકલા પહોંચ્યા હતાં. જ્યાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગજરાજ સરસપુરમાં પહોંચ્યા છે.
ભગવાનનો રથ રાયપુર ચકલા પહોંચ્યો છે. કાલુપુર-આસ્ટોડિયા, રાયપુર વિસ્તારમાં અમીછાંટણા થયા છે.
ભગવાન જગન્નાથનો રથ આસ્ટોડિયા ચકલા પહોંચ્યો છે. થોડીવારમાં ગજરાજ સરસપુર પહોંચશે.
કાલુપુર-રાયપુર વિસ્તારમાં અમીછાંટણા થયા. ટ્રક અને ટેબલો કાલુપુર પહોંચ્યાં છે.
ભગવાન જગન્નાથના ત્રણેય રથ કોર્પોરેશનની ઓફિસ પહોંચ્યા છે. ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
રાયપુર ચકલાથી કાલુપુર પહોંચ્યા ગજરાજ અને રથ ખમાસા પહોંચ્યા
રથયાત્રાના પ્રારંભે મંદિરની બહાર એક મહિલા બેભાન થઈ જતા સારવાર માટે 108માં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સાંસ્કૃતિક ઝાંખીવાળા ટેબ્લો ખાડિયાથી પસાર થયા
વડાપ્રધાન મોદીએ પણ રથયાત્રાની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું
વડાપ્રધાન મોદીએ પણ રથયાત્રાની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું
વડાપ્રધાન મોદીએ પણ રથયાત્રાની શુભકામના પાઠવતું ટ્વિટ કર્યું
રથયાત્રામાં ગજરાજ કરી રહ્યા છે આગેવાની
અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગરમાં પણ નીકળી રથયાત્રા
142મી રથયાત્રામાં 16 હાથી, 101 ટ્રક, 30 અખાડા સાથે જગન્નાથ નીકળ્યાં નગરચર્યાએ
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પહિંદવિધિ કરી. રથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કર્યો.
મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરાવતાંની સાથે જ રથયાત્રાનું થયું પ્રસ્થાન,રૂપાણીએ ત્રીજી વખત પહિંદવિધિ કરી, PM મોદીને પહિંદવિધિ કરવાની 12 વખત મળી હતી તક
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ એમ.આર.શાહ પરિવાર સાથે મંદિર પહોંચ્યા
CM વિજય રૂપાણી જગન્નાથ મંદિર પહોંચ્યા
બહેન સુભદ્રા અને ભાઈ બલરામ પણ થયા રથમાં બિરાજમાન, થોડીવારમાં થશે પહિંદવિધિ
વાજતે-ગાજતે ભગવાન જગન્નાથ રથમાં થયા બિરાજમાન
5.35 કલાકે જગન્નાથને રથમાં બિરાજમાન કરાવવાની તૈયારી કરવામાં આવી
મંગળા આરતી બાદ અમીછાંટણા થયા, ભગવાનના મોસાળ સરસપુરમાં પણ વરસાદ શરૂ થયો
રથયાત્રાને લીધે BRTS અને AMTSના કેટલાક રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો
રથયાત્રમાં 100 ટ્રક, 30 અખાડા, 18 હાથી, 3 રાસ મંડળી, 18 ભજન મંડળી, 1 ઘોડાગાડી, 5 બેન્ડવાજા જોડાશે. જાંબુ, ફણગાવેલા મગ સહિતનો પ્રસાદ અપાશે.
4.14 મિનિટે ભગવાનની મંગળા આરતી થઈ, અમિત શાહ અને તેમના ધર્મપત્ની સાથે ભગવાન જગન્નાથની આરતી કરી
4.14 મિનિટે ભગવાનની મંગળા આરતી થઈ, અમિત શાહ અને તેમના ધર્મપત્ની સાથે ભગવાન જગન્નાથની આરતી કરી
4.10 કલાકે અમિત શાહ પહોંચ્યા
અમદાવાદ પોલીસ કમિશ્નર એ કે સિંઘ જગન્નાથ મંદિર પહોંચ્યા. કહ્યું- એક મોટો પ્રસંગ છે. આ માટે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
3.34 વાગ્યે પ્રદિપસિંહ પહોચ્યા મંદિર, વ્યવસ્થાનું કર્યુ નિરીક્ષણ
સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે. સૌથી મોટું રસોડું મોટી સાળવીવાડ ખાતે રખાયું છે. આ સિવાય વાસણશેરી, તળીયાની પોળ, પીપળાપોળ, ગાંધીની પોળ, લુહાર શેરી, આંબલીવાડ, કડીયાવાડ, ઠાકોરવાસ, નાની સાળવીવાડ, ખત્રીવાડ, કબીરવાડ અને ભાવસારના ખાંચો, પાંચાવાડ સહિતના વિસ્તારોમાં કુલ 50 હજારથી વધુ ભક્તો ભોજન પ્રસાદીનો લાભ લેશે.
આખી રાત ભગવાનના દર્શન કરવા માટે ભક્તોનો લાઇન લાગી.

બ્રેકગ્રાઉન્ડ

સરસપુરની 18 પોળોમાં 50 હજાર ભાવિક ભક્તો માટે 1500 કિલો મોહનથાળ, 1000 કિલો ફૂલવડી, બુંદી, પુરી અને બટાકાના શાક પ્રસાદ તરીકે પીરસવામાં આવશે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.