અમદાવાદઃ યુવકને પોતાની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શેઠને ગઈ શંકા અને શું કર્યું ?

અમદાવાદઃ વાડજમાં રહેતા અને કુરિયર કંપનીમાં કામ કરતા 22 વર્ષના યુવકની હત્યા કરીને તેની લાશ તેના ઘર બહાર ફેંકીને ભાગી જવાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે. યુવક જ્યાં નોકરી કરતો હતો તે કુરિયર કંપનીના માલિકની પત્ની સાથે તેને સેક્સ સંબંધ હોવાની શંકાને પગલે તેની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.
માયાબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ભૂપેન્દ્ર પટેલ, મેહુલ વસાવા, મનિષા મેહુલ વસાવા અને કેતન રાઠોડ વિરુધ્ધ ખૂનનો ગુનો નોંધી ભૂપેન્દ્ર, મનિષા અને કેતનની ધરપકડ કરી છે. માયાબહેને જણાવ્યું હતુ કે ભૂપેન્દ્રભાઇના પત્નીને કૃણાલ સાથે સેક્સ સબંધ હોવાની શંકા રાખીને કૃણાલની હત્યા કરાઈ છે.
કૃણાલ શ્વાસ પણ લઇ શકતો હતો પણ આ ઘટનાના પગલે લોકો ભેગા થઇ જતા મેહુલ અને કેતન ગાડીમાં બેસીને ભાગી ગયા હતા. તેમની ગાડીમાં મેહુલની પત્ની મનિષા પણ બેઠી હતી. પરિવારના સભ્યો કૃણાલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોકટરોએ કૃણાલને મૃત જાહેર કર્યો હતો.
આ ફોન પછી માયાબહેન પોતાના નાના દીકરા હર્ષ, જેઠ રામજીભાઇ સહિતના લોકો સાથે રોડ ઉપર આવીને ઉભા રહ્યા હતા. થોડી વારમાં મેહુલ અને કેતન સફેદ ઈકો ગાડીમાં આવ્યા અને ડેકીમાંથી કૃણાલને રોડ પર ફેંકી દીધો હતો. એ વખતે કૃણાલના માથા, કપાળ, પગના ઘુંટણ, બંને હાથના પંજા સહિતના ભાગેથી લોહી નીકળતુ હતુ.
સાંજે ભૂપેન્દ્રભાઇની ઓફિસના મેહુલ અને કેતન(કરસન) કૃણાલને ઘરે આવ્યા હતા અને ભૂપેન્દ્રભાઇ બોલાવે છે તેમ કહીને લઇ ગયા હતા. રાતે 10.30 વાગ્યે મેહુલે કૃણાલની માતા માયાબહેનને ફોન કર્યો કે તમારા છોકરાને પોલીસે બહુ માર્યો છે, અમે તેને છોડાવીને ઘરે લઇને આવીએ છીએ, તમે રોડ ઉપર આવીને ઉભા રહેજો.
જૂના વાડજ રામાપીરનો ટેકરો હનુમાનજી મંદિર પાસે રહેતો કૃણાલ મંગળસિંગ ભાટી(22) મીઠાળખી પાસેની ઓનડોર કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો. શુક્રવારે કૃણાલની તબિયત સારી નહીં હોવાથી તે નોકરી પર ના જતાં તેના શેઠ ભૂપેન્દ્રભાઇ પટેલનો બે વખત ફોન આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે યુવકને માલિકની પત્નિ સાથે સેક્સ સંબંધ હોવાની શંકાના આધારે ખૂબ માર મરાયો હતો. તેના કારણે યુવકનું મોત નિપજતાં આરોપીઓ તેને તેના ઘર પાસે ફેંકીને જતા રહ્યા હતા. વાડજ પોલીસે આ કેસમાં યુવતી સહિત ચાર વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે.