સ્પેશિયલ કોર્ટમાં રમખાણોના કેસમાં અમિત શાહે શું આપી જુબાની? વાંચો આખી જુબાની
તેમણે જણાવ્યું હતું કે, માયાબેનની સહી હું ઓળખતો નથી, પણ એ વિધાનસભામાં ઉપસ્થિત હતા. મારા પર ઘણા ફોન સોલા સિવિલમાંથી આવતા હતા અને એ જગ્યા મારા વિધાનસભા મતક્ષેત્રની છે એટલે હું વિધાનસભા ત્યાં સીધો ગયો હતો. 9.30 થી 9.45 વાગ્યાની આસપાસ પહોંચ્યો હતો.
તેમણે જુબાની આપતાં જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીએ હું મારા ઘરે થઈ વિધાનસભા સવારે લગભગ સાત વાગ્યે જવા નીકળ્યો. સવારે 8.30 વાગ્યાનું ગૃહનું સત્ર હતું. હું મારી ગાડીમાં મારા ડ્રાઇવર સાથે ગયો હતો. ગોધરામાં ઘણા લોકો માર્યા હતા એટલે શ્રધ્ધાંજળીનો પ્રસ્તાવ રાખ્યો હતો, પછી થોડીવાર ગૃહ મુલતવી રહ્યું હતું.
અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે સ્પેશિયલ કોર્ટ પહોંચ્યા હતા અને તેમણે જુબાની આપી હતી. સૌપ્રથમ સાચું બોલવાના શપથ લીધા હતા. આ પછી માયા કોડનાનીના બચાવ પક્ષ તરફથી અમિત શાહનું નિવેદન લેવાનું શરૂ કરાયું છે. તેમણે જુબાની આપતાં જણાવ્યું હતું કે, માયાબેન 28મી ફેબ્રુઆરી 2002ના દિવસે વિધાનસભામાં ઉપસ્થિત હતા.
મારી ગાડી થોડી દૂર હતી એટલે મને અને બાદમાં માયાબેન સમક્ષ પણ લોકોનો આક્રોશ જોઈને તેમને પણ કોર્ડન કરીને બહાર લઈ આવ્યા અને મને અને માયાબેનને પોલીસની ગાડીમાં લઈ જવાયા હતા. તે વખતે લગભગ 11 કે સવા અગિયારનો સમય હશે.
તેમણે જણાવ્યું હતું કે, ત્યાં ઘણા બધા લોકો હતા. નારણપુરા વોર્ડના નટુભાઈ વાઘેલા પણ હતા. માયાબેન મને સિવિલમાં મળ્યા હતા પણ હું નીકળતો હતો એ વખતે. ઘટના કૈંક એવી બની હતી કે ત્યાં સુત્રોચ્ચારો થતા હતા. લોકોમાં રોષ હતો. હું ખાસ્સો ટાઈમ રહ્યો હતો. ટોળાએ સૂત્રોચ્ચાર કરતા પોલીસે મને સમજાવીને ત્યાંથી કોર્ડન કરીને બહાર કાઢેલો.
હું ત્યાં પહોંચ્યો ત્યારે ડેડબોડી આવી હતી. તેમના પરિવારજનો પણ હતા અને એક રીતે અફરાતફરીનો માહોલ હતો. પહેલા હું પોસ્ટમોર્ટમ થતું હતું ત્યાં ગયો, પણ અધિકારીઓએ મને જતા રોક્યો હતો. ત્યાં મૃતકોના પરિવારજનો હતા. હું એમને મળ્યો અને ત્યાં પક્ષના ઘણા કાર્યકર્તાઓ પણ હતા.