અમદાવાદમાં આનંદીબેન પટેલ કોંગ્રેસ વિશે શું બોલ્યા, ભૂતપૂર્વ CMએ કાશી વિશ્વનાથ ભગવાન પાસે શું માગ્યું, જાણો વિગતે

નર્મદા યોજનાને મંજૂરીનો મુદ્દો લઈને તત્કાલનિ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી મારી પાસે આવ્યા જ ન હતા, તેવા અમદાવાદ આવેલા પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંઘે કરેલા વિધાન અંગે પ્રતિક્રિયા આપતા આનંદીબહેન પટેલે કહ્યું કે, તેઓ ક્યાં સાંભળતા જ હતા? નરેન્દ્રભાઈએ જાહેરમાં રજૂઆતો કરતા રહ્યા પણ ડો.સિંઘે ગુજરાત માટે આંખ-કાન બંધ કર્યા હતા.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
અમદાવાદ: પૂર્વ CM આનંદીબેન પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ગુજરાતમાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો હતો. તેમણે કાર્યકરોને પણ મતદારો સુધી પહોંચવા માઈક્રો પ્લાનિંગ કરવા ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે મહા સંપર્ક અભિયાનમાં પીએમ મોદીએ તેમના વિચારો દર્શાવ્યા. ઓછા ખર્ચે વધુ મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ પછી ખોવાય જાય છે.
48 મતદારોના એક પેજનો એક પ્રમુખ કાર્યકર્તાના માઈક્રો પ્લાનિંગથી એ કોને મત આપશે તેનો ડેટા એકત્રિકરણની સાથે સંવાદ રચવા ભાજપનું મહાસંપર્ક અભિયાન શરૂ થયું છે. ઘાટલોડિયા મતક્ષેત્રમાં ડોર ટુ ડોર સંપર્ક કરીને આવેલા આનંદીબહેન પટેલે કહ્યું કે, ભાજપના કાર્યકરો માટે આ અભિયાન એક રીતે પ્રશિક્ષિત થવાનો અવસર બની રહે છે. અમારો કાર્યકર મતદારોના સવાલનો જવાબ આપે છે.
આનંદીબેને કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે રેલી કાઢીને કોંગ્રેસ ખોવાઈ જાય છે, બીજા દિવસે દેખાતી નથી. કોંગ્રેસ પાસે કોઈ ટીમ નથી. ભાજપના 7 લાખ પેજ પ્રમુખો સાથે એક કરોડ કાર્યકરો પાંચ દિવસમાં 4 કરોડ મતદારોને મળીને પાંચ વર્ષનો હિસાબ અને 15 વર્ષના ગુજરાતના વિકાસ કામોની વિગતો આપશે. એટલું જ નહીં, આ મહાસંપર્ક અભિયાનને અંતે મતદાનના દિવસે એક એક મતદાર પાસે મતદાન કરાવીને ભાજપનો વિજય ઉત્સવ ઉજવશે. એમ પુર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યુ છે.
તેમણે કોંગ્રેસ વિશે કહ્યું કે કોંગ્રેસ પાસે કોઈ ટીમ જ નથી. ભાજપ મતદારો વચ્ચે જશે. એટલું જ નહીં ભાજપ પાંચ દિવસમાં 1 કરોડ કાર્યકરો 4 કરોડ મતદોરોને મળશે, મતદાન કરાવી વિજયોત્સવ ઉજવશે.
વારાણસીમાં દેવદિવાળી ઉત્સવ ઉજવીને આવેલા આનંદીબહેન પટલને કાશી વિશ્વનાથ ભગવાન સમક્ષ શું માંગીને આવ્યા તેવા સવાલ થયો ત્યારે તેમણે ‘દેશનું કલ્યાણ’ માગ્યાનું કહ્યું હતું.
અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા આનંદીબેને કહ્યું કે, મતદારોનો ઝોક કઈ તરફી છે તે જાણવું અત્યંત જરૂરી છે. આ પેજ પ્રમુખ દ્વારા જાણી શકાય છે. પેજ પ્રમુખ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે પેજ પ્રમુખ દ્વારા કેટલાં મતદારો સુધી પહોંચી શકાય તેનો અંદાજ આપી શકાય છે. અમારી પાસે નક્કર આયોજન છે. અમે અમારા આયોજન પ્રમાણે આગળ વધી રહ્યાં છીએ.