કોંગ્રેસે આગામી ચૂંટણીને લઈને કરી મોટી જાહેરાતઃ જાણો કોને કોને નિમ્યા કાર્યકારી પ્રમુખ?

સૌરાષ્ટ્ર અને પાટીદારોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પાટીદાર નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમ્યા છે.
કોંગ્રેસ દ્વારા દક્ષિણ ગુજરાત અને આદિવાસી મતદારોને ધ્યાનમાં રાખીને ડો.તુષાર ચૌધરીને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે.
કોંગ્રેસ દ્વારા કોળી મતદારોને રિઝવવા માટે રાજકોટના પૂર્વ સંસદસભ્ય કુંવરજી બાવળીયાને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
કોંગ્રેસ દ્વારા દલિત મતદારોને ધ્યાનમાં રાખીને વિધાનસભાના પૂર્વ સ્પીકર કરશનદાસ સોનેરીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.
અમદાવાદઃ ગઈ કાલે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી કમિટીની જાહેરાત કરી હતી. ચૂંટણી કમિટીના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલને નિમવામાં આવ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા નવા ચાર કાર્યકારી પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. જોકે, પ્રદેશ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી યથાવત રહેશે.