કોંગ્રેસે 2 ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત 46 નેતા-કાર્યકરોને આપી નોટિસ, જાણો કોને કોને કોંગ્રેસમાંથી તગેડાશે ?

૩૧ બિરેન્દ્ર કટારિયા-ભરુચ, ૩૨. બાવસિંહ ભાલીયા-મહુવા, ૩૩. જયેશ શેઠ-મહુવા, ૩૪. તૌફિકમિયા ઐમુલા-જૂનાગઢ, ૩૫. જિતેન્દ્ર પરમાર-ખેરાલુ, ૩૬. ગોવિંદ સેનવા-ખેરાલુ, ૩૭. નીતિનકુમાર ચૌધરી-ખેરાલુ, ૩૮. રુપાભાઈ પટેલ-ખેરાલુ, ૩૯. જોઇતાભાઈ પટેલ-ધાનેરા, ૪૦. હિરાભાઈ પટેલ-લુણાવાડા, ૪૧. બાલક્રિષ્ના જિરાલા-વડગામ, ૪૨ ભરત ખંભાળિયા-જૂનાગઢ, ૪૩. અશોકસિંહ વિહોલ-વિજાપુર.
૨૧. અમરસંગ ભાંભોર-ફતેપુરા, ૨૨. રામબાબુ શુક્લા-ગણદેવી, ૨૩. ગોવિંદ પટેલ-ગણદેવી, ૨૪. સિદ્ધાર્થ દેસાઈ-ગણદેવી, ૨૫. નારણ પટેલ-નારણપુરા, ૨૬. મુકેશ પટેલ-ડાંગ, ૨૭. વી. વી. રબારી-દહેગામ, ૨૮. પી. એલ. ચાવડા-દહેગામ, ૨૯. જગતસિંહ ચૌહાણ-દહેગામ, ૩૦. રામાજી ઠાકોર-ગાંધીનગર.
૧૧. કાળુભાઈ પટેલ-થરાદ, ૧૨. સુરેશ બથવાર-રાજકોટ, ૧૩. રમણ ભાંભોર-દાહોદ, ૧૪. રણજિતસિંહ સોલંકી-હિંમતનગર, ૧૫. વિપુલ પટેલ-હિંમતનગર, ૧૬. ગોપાલસિંહ રાઠોડ-હિંમતનગર, ૧૭. દર્શનાબહેન જોશી-ભાવનગર, ૧૮. ગીતાબહેન મેર-ભાવનગર, ૧૯. કિશોરસિંહ રાઠોડ-લુણાવાડા, ૨૦. મણીબહેન ડામોર-સંતરામપુર.
આ નેતાઓમાં ૧. રાજુભાઈ દેસાઈ- વિજાપુર, ૨. રાજેન્દ્રસિંહ કુમ્પાવત-ઇડર, ૩.સુરેશ ઠાકોર-ઇડર, ૪.રામભાઈ સોલંકી-ઇડર, ૫.વિશાલ સોલંકી-અસારવા, ૬.કૈલાસ પરમાર-અસારવા, ૭. ગણપત પરમાર-અસારવા, ૮. પરિમલ સોલંકી-અસારવા, ૯. વિરલ કટારીયા-બોટાદ, ૧૦. બચુભાઈ ઝાલાવાડિયા-બોટાદ
પક્ષમાં રહીને જ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા બે પૂર્વ ધારાસભ્યો લુણાવાડાના હિરાભાઈ પટેલ અને ધાનેરાના જોઇતારામ પટેલને કોંગ્રેસ હાઇકમાન્ડે નોટિસ પાઠવી છે. જેમાં લખ્યું છે કે, તમે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરી છે માટે તમારી સામે શા માટે પગલા નહી લેવા ?
અમદાવાદઃ ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને હરાવવા માટે ભૂમિકા ભજવનારા કોંગ્રસના ૪૬ નેતાઓ-આગેવાનો સામે કોંગ્રેસ હાઇકમાન્ડે કાર્યવાહી હાથ ધરી છે. આ ૪૪ અગ્રણીઓને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે, જ્યારે અન્ય ત્રણ નેતા પાસેથી પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતાં રાજીનામા લઈ લેવાયા છે.
આ ઉપરાંત ૪૩ નેતાઓને નોટિસ અપાઈ છે. સૂત્રો જણાવે છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની સૂચનાના પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને શોધી કાઢી કાર્યવાહી શરૂ કરાઇ છે. હવે જો તેઓનો જવાબ સંતોષકારક નહિ મળે તો પક્ષમાંથી પાંચ વર્ષ માટે હાંકી કઢાશે.