✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેમ હાર્દિક પટેલથી નારાજ થયા? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Sep 2018 11:31 AM (IST)
1

હાર્દિક માનતો નથી, હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું. હું જ નહીં સમાજના તમામ લોકો માને છે કે, હાર્દિક જીવશે તો લડશે, લડશે તો જીતશે. હાર્દિકના જીવન લોકોને જરૂર છે. હું ખુલ્લેઆમ કહું છું કે, હાર્દિક પારણા કરી લે અમે તારાથી નારાજ છીએ.

2

પાટણઃ પાસ કન્વીનર હાર્દિક પટેલના સારા સ્વાસ્થ્ય માટે આજે પાટણથી ઉંઝા સુધીની સદભાવના પદયાત્રા નીકળી છે. સવારથી શરૂ થયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા છે. ઠેરઠેર આ યાત્રાનું પાટીદારો દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ફક્ત પાટીદારો જ નહીં પરંતુ અન્ય જ્ઞાતિના લોકો પણ ઠેરઠેર યાત્રાનું સ્વાગત કરી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

3

હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણય અંગે વસોયાએ જણાવ્યું હતું કે, હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય.

4

આ યાત્રામાં હાજર રહેલા ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય તેમજ પાસના પૂર્વ કન્વીનર લલિત વસોયાએ મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી હું વ્યક્તિગત રીતે નારાજ છું. હાર્દિકે બને એટલું ઝડપી પારણાં કરી લે તેવી મારી ઈચ્છા છે.

5

આ યાત્રામાં કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો પણ જોડાયા છે. જેમાં કિરીટ પટેલ, લલિત વસોયા, ચંદનજી ઠાકોર અને આશા પટેલ સહિતના કોંગ્રેસના ધારાસભ્યોએ યાત્રામાં હાજર રહ્યા છે. યાત્રા દરમિયાન તમામ લોકો હાર્દિક પારણાં કરે તેવી માંગણી કરી રહ્યા છે. યાત્રામાં જોડાયેલા લલિત વસોયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ હાર્દિકના ઉપવાસ ચાલુ રાખવાના નિર્ણયથી વ્યક્તિગત રીતે બહુ નારાજ છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેમ હાર્દિક પટેલથી નારાજ થયા? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.