✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

માયાભાઈ આહિરના ડાયરામાં નોટો ઉડાડવાની પોસ્ટ મૂકનારને મળી શું ધમકી? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  14 May 2017 11:48 AM (IST)
માયાભાઈ આહિરના ડાયરામાં નોટો ઉડાડવાની પોસ્ટ મૂકનારને મળી શું ધમકી? જાણો વિગત
1

અમદાવાદઃ લોકગાયક માયાભાઇ આહિરના ડાયરામાં લોકો દ્ધારા ઉડાવવામાં આવતા રૂપિયાના વિરોધમાં ફેસબુક લખવું એક યુવકને ભારે પડ્યું હતું. સુરતમાં રહેતા પ્રવિણભાઇ બલદાણિયા નામના એક યુવકે પોતાના ફેસબુક પેજ પર ડાયરામાં શ્રોતાઓ દ્ધારા ઉડાવવામાં આવતા રૂપિયાનો વિરોધ નોંધાવતી એક પોસ્ટ લખી હતી. તેમાં યુવકે લખ્યું કે, ડાયરામાં મોજમાં આવી જઈને લોકો કલાકાર પર જે રૂપિયા ઉડાવવામાં આવે છે તે પગમાં અડકવાને કારણે લક્ષ્મીજીનું અપમાન થાય છે.

2

પોસ્ટમાં પ્રવિણભાઇ લખ્યું હતું કે, માયાભાઇ આહિરના ડાયરામાં લોકો રૂપિયા ઉડાવે છે જે પગ નીચે આવતા હોવાથી લક્ષ્મીનું અપમાન થાય છે. ફરિયાદ અંગે કલાકાર માયાભાઇ આહિરે કહ્યું હતું કે, છેલ્લાં ઘણા સમયથી પ્રવિણભાઇ ફેસબુક પર ડાયરાની વિરૂદ્ધ લખી રહ્યા છે અને બિભત્સ શબ્દો વાપરી રહ્યા છે.

3

મળતી વિગતો અનુસાર, પ્રવિણભાઇ પોતાના ફેસબુક પર પૈસા ઉડાડકતા લોકોની પોસ્ટ મુકી આવું લખાણ લખ્યું હતું. તેમણે માયાભાઇ આહિરનું નામ લઇને પોસ્ટ કરતા આહિરના ચાહકો અને પરિવારજનો ગુસ્સે થયા હતા. પોસ્ટ અપલોડ કરનારા પ્રવિણભાઈ નામના શખ્સને ફોન પર ધાક ધમકી અને અભદ્ર શબ્દો કહ્યાં હતાં.

4

પ્રવિણભાઈ ધમકી આપનારા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પ્રવિણભાઈ બલદાણીયાએ થોડા દિવસો અગાઉ ફેસબુક પેજ પર ડાયરામાં થતાં રૂપિયાના વરસાદ અંગે પોસ્ટ કરી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • માયાભાઈ આહિરના ડાયરામાં નોટો ઉડાડવાની પોસ્ટ મૂકનારને મળી શું ધમકી? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.