✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2017 07:18 AM (IST)
PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો
1

ગુજરાતમાં પહેલી વખત વડાપ્રધાન સી-પ્લેનથી ધરોઈ ડેમના તળાવમાં ઉતરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. સવારે 9.30 વાગ્યે સરદાર બ્રીજ રિવરફ્રન્ટ પર આ પ્લેનના માધ્યમથી વડાપ્રધાન અંબાજી જવા નીકળશે. 10.30 કલાકે ધરોઈ ડેમના તળાવમાં લેન્ડ કરશે અને ત્યાંથી બાય-રોડ અંબાજીના દર્શન કરવા જશે. શક્તિપીઠમાં પૂજા કરી 1.50 વાગ્યે તેઓ ફરીથી ધરોઈ લેકથી પાછા આવશે અને 2.50 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ઉતરશે.

2

રિવરફ્રન્ટ પર પીએમ મોદીનું વ્યક્તવ્ય પુરું થયું એ સાથે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીના આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, 12 તારીખે વડાપ્રધાનના રોડ શોને પરમીશન ન મળી એટલે કાલે વડાપ્રધાન ગુજરાતની જાણીતી શક્તિપીઠ અંબાજીના દર્શન કરવા જશે, પરંતુ એક નવી રીતે જશે.

3

આ સી-પ્લેન અંગે માહિતી આપતા સભામાં ઉપસ્થિત લોકોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનનો રોડ શો કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ વહીવટીતંત્રએ ચૂંટણીની વ્યવસ્થાને કારણે મંજૂરી ના આપતા કાર્યક્રમમાં ફેરફાર થયો છે અને ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની સાબરમતી રિવરફ્રન્ટમાં પાણીમાં વિમાન ઉતરશે અને પ્રધાનમંત્રી આ વિમાનમાં બેસી ધરોઈ ડેમ જશે અને ત્યાં ધરોઈ ડેમના પાણીમાં પણ આ વિમાન ઉતરણ કરશે અને ત્યાંથી અંબાજીના દર્શન કરવા જશે.

4

વડાપ્રધાન અંબાજી માતાજીના દર્શન કર્યા પછી ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રીજ ખાતે પરત આવશે. આ સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકો દ્વારા ઠેર-ઠેર PMનો સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલાંથી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે. ગઈકાલે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર સભાને સંબોધતા પીએમ મોદીએ એક મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આવતીકાલે એટલે કે મંગળવારે તારીખ 12 ડિસેમ્બરે સવારે 9.30 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ પર સી-પ્લેન ઉતરશે.

5

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બીજા તબક્કાના મતદાનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત PM મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટના સરદારબ્રીજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કર્યું હતું અને ત્યાંથી રોડ માર્ગે અંબાજી પહોંચ્યા હતા. અંબાજી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મા અંબાજીના દર્શન કર્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • PM મોદીએ કર્યા મા અંબાજીના દર્શન, મોદીની એક ઝલક માટે ઉમટ્યા લોકો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.