Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
અનામત અંગે CM વિજય રૂપાણીએ હાર્દિક પટેલને શું કહ્યું? જાણો વિગતે
તેમ છતાં કોંગ્રેસ સમગ્ર મામલો દબાવાની કોશિષ કરીને આમ તેમ ફરીને ફક્ત રાજનીતિ કરે છે. જ્યારે હવે ચૂંટણીમાં ગુજરાતની જનતા પોતાનું સ્ટેન્ડ લઇને કોંગ્રેસને જવાબ આપી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ઇબીસી માટે તો ભાજપ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું છે. પરંતુ સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચમાં ઇબીસીનો મુદો ચર્ચાઇ રહ્યો છે.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે આર્થિક અનામત બાબતે સ્ટેન્ડ ક્લીયર કર્યું છે પરંતુ હાર્દિકે કોઇ સ્ટેન્ડ ક્લીયર નથી કર્યું. આંદોલનકારીઓની ડિમાન્ડ ઓબીસીમાં અનામત માટે હતી પરંતુ કોંગ્રેસે ઇબીસીની વાત કરી છે.
રૂપાણીએ અનામત મુદે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા 10 ટકા ઇબીસી આપી દેવામાં આવ્યું છે. પરંતુ કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસીમાં કઇ રીતે સમાવેશ કરશે તે અંગે સ્પષટતા કરે. રૂપાણીએ હાર્દિક પટેલ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી પાટીદાર સમાજને જાણ કરે તેમ રૂપાણીએ જણાવ્યું હતું.
ગાંધીનગર: પાટીદારોને 20 ટકા આર્થિક અનામત આપવાની માગણી હાર્દિક પટેલ દ્વારા કરાઈ છે, બીજી બાજુ હાર્દિકે પાટીદારો માટે ઓબીસી અનામતની માગણી કરી છે ત્યારે હાર્દિકને ખરેખર ઓબીસી અનામત કે આર્થિક અનામત જોઈએ છે તે બાબતે સ્પષ્ટતા કરે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -