✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસના કયા ત્રણ MLAને તાબડતોડ દિલ્હી બોલાવાયા? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Jan 2019 08:41 AM (IST)
1

સૂત્રો પ્રમાણે, ત્રણેય ધારાસભ્યો દિલ્હીમાં સૌથી પહેલા અહેમદ પટેલને મળશે. ત્યાર બાદ આ ત્રણેય ધારાસભ્યોની રાહુલ ગાંધી સાથે મુલાકાત થાય તેવી શક્યતા છે. અલ્પેશના કહ્યા પ્રમાણે, પક્ષમાં તેના સમાજની અવગણના થઈ રહી છે. ઠાકોર સેનાને તોડવાના પ્રયાસ થાય છે.

2

પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ઓબીસી સેલના નવનિયુક્ત અધ્યક્ષ ઘનશ્યામ ગઢવીનો પદગ્રહણ સમારોહમાં અસંતુષ્ટ ગણાતા નેતાઓને સ્ટેજ પર બેસાડીને પ્રદેશ કોંગ્રેસે મનાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ સમારોહ પૂરો થયા પછી તરત જ અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા.

3

અલ્પેશ ઠાકોરે અત્યાર સુધીમાં ‘મેં લાગણીમાં નિર્ણયો લીધા હોવાનું કોંગ્રેસ માને છે પરંતુ હવે ચાલાક રાજકારણીની જેમ નિર્ણય લઈ શકું છું, તેમ કહી કોંગ્રેસ છોડવાનો આડકતરો સંકેત આપ્યો છે.

4

ગાંધીનગર: કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થઈ શકે છે તેવું સોમવારે બપોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું ત્યાર બાદ તરત જ સાંજે કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર દિલ્હી જવા રવાના થયા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • નીતિન પટેલના નિવેદન બાદ કોંગ્રેસના કયા ત્રણ MLAને તાબડતોડ દિલ્હી બોલાવાયા? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.