કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણીને લઇને સોંપાઇ જવાબદારી, જાણો કોને શું અપાઇ કામગીરી?
જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી તરીકે ડો. વિજય દવે, હિમાંશુ વ્યાસ, શશીકાંત પટેલ, મનુસિંહ પરમાર, ઇકબાલ શેખ, બ્રેજેશ મેરજા, પરિમલ સોલંકી, કનુભાઈ વાઘેલા, પ્રહલાદ પટેલ, બાબુભાઈ કાપડિયા, પી.કે.વાલેરા, માનસિંહ ડોડિયા, ગોપાલસિંહ રાઠોડ, અને દિલીપ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.
જ્યારે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર અને સાહિત્યની જવાબદારી અર્જુન મોઢવાડિયાને આપવામાં આવી છે. નરેશ રાવલને શહેરી વિસ્તારમાં ચૂંટણીલક્ષી કામગીરી સોંપવામાં આવી છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર સમિતિના ચેરમેન તરીકે સિદ્ધાર્થ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે શક્તિસિંહ ગોહિલને ચૂંટણીમાં મીડિયા સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદઃ આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને કામગીરીની વહેંચણી કરી દીધી છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આજે પત્રકાર પરિષદમાં નિમણૂંક અંગે જાહેરાત કરી હતી. આ તમામ નિમણૂંક રાહુલ ગાંધીએ કરી હોવાનું જાણવા મળ્યું છે.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 10 ઉપાધ્યક્ષ, 14 મહામંત્રી, 7 પ્રવક્તા નિમાયા છે. ચૂંટણીલક્ષી 5 સમિતિઓની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે 63 મંત્રીઓ, 4 એક્ઝિક્યુટિવ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. એટલું જ નહીં, 13 નવા શહેર-જિલ્લા પ્રમુખો નિમાયા છે. જે હાલના માળખામાં વધુ નિમણુંક કરાઈ છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા તરીકે અમીબેન યાજ્ઞિક, બદરુદ્દીન શેખ, જયરાજસિંહ પરમાર, કૈલાશ ગઢવી, રાજન પ્રિયદર્શી, પરાંજયાદિત્યાસિંહ પરમાર, નૈશત દેસાઇની નિણૂંક કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે સત્યજીત ગાયકવાડ, જગદીશ ઠાકોર, બાબુભાઈ માંગુકિયા, કાશ્મીરાબેન મુન્શી, પ્રવીણ રાઠોડ, વજીરખાન પઠાણ, પુનાજીભાઈ ગામીત, ભીખુભાઈ વરોતરિયા, ધીરુભાઈ ગજેરા અને જશોદાબેન પરમારની નિમણૂંક કરવામાં આવી છે.