રાજ્ય સરકારે ટ્રિપલ સી મુદ્દે શિક્ષકોને આપી મોટી રાહત, જાણો શું લીધો નિર્ણય
રાજ્ય સરકારે એક પરિપત્ર બહાર પાડીને જેમણે પાંચ વર્ષ અને તે ઉપરાંત અજમાયશી બે વર્ષનો સમયગાળામાં સીસીસી પરીક્ષા પાસ કરી ન હોય તેવા વર્ગ-૩ના શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કપવા આદેશ આપ્યો હતો. શાળા નિયામકની કચેરીએ ડીઈઓને મોકલેલી આ સૂચનાનો ભારે વિરોધ થયો હતો.
અમદાવાદઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક મહત્વનો નિર્ણય લઈને સીસીસી પરીક્ષા ના પાસ કરી હોય તેવા શિક્ષકો તથા વહીવટી કર્મચારીઓને નોકરીમાં દૂર કરવાનો નિર્ણય રદ કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ જાહેરાત કરી હતી.
આ મુદ્દે રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષણમંત્રીને રજૂઆત કરાઈ હતી. જેના પગલે શાળા નિયામકની કચેરી દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, જે કર્મચારીઓને સીસીસી પાસ કર્યું નથી તેમને છૂટા કરવાની કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત રાખવી. આ નિર્ણયને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમખ પંકજ પટેલે આવકાર્યો હતો.