અમદાવાદઃ એક યુવતીને હતું બે યુવકો સાથે અફેર, જાણો તેનો શું આવ્યો અંજામ?
જો કે, પી.આઈ. ટંડેલ અને ટીમને આ કબુલાત ગળે નહીં ઉતરતા ઉલટ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, ભરત અને જગદીશ બન્ને એક જ યુવતીને પ્રેમ કરતા હતા. જેથી આરોપી ભરતે મનોમન જગદીશની હત્યાનું કાવતરૂ ઘડી કાઢ્યું હતું. નોંધનીય છે કે, આરોપી ભરત અગાઉ વાહન ચોરી, લૂંટ અને મારમારી જેવા અનેક ગુનામાં પકડાઈ ચુક્યો છે.
આરોપી ભરત ઠાકોરે કબૂલાત કરી છે કે, હત્યા સમયે બન્ને જણા રસ્તામાં ચાલતા જતા ટકરાયા હતા. જેમાં બન્ને વચ્ચે બોલાચાલી અને બાદમાં મારામારી થઈ હતી. જે દરમિયાન મૃતક જગદીશ પરમારે છરો કાઢી તેના પર હુમલો કરતા તેણે જગદીશ પાસેથી છરો આંચકી લઈને તેને ઘા માર્યા હતા.
જેની આડમાં સાબરમતી સતકેવલ નગર ખાતે રહેતા જગદીશ ઉર્ફ ચુકા ઈશ્વરભાઈ પરમાર (ઉં.૨૧)ની ગત ૨૦ ઓગષ્ટના રોજ હત્યા કરાઈ હતી. આ કેસની તપાસ બાદમાં ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. જે અંગે ડી.સી.પી દીપન ભદ્રન અને એ.સી.પી. ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા પી.આઈ એસ.આર ટંડેલ અને પી.એસ.આઈ. એન.જી ચૌધરીએ એક બાતમી આધારે મોટેરા રોડ પર તપોવનના છાપરામાં રહેતા ભરત ઉર્ફ લાલો ઉર્ફ લાલ બાદશાહ ઠાકોર (ઉં.૨૭)ને પકડી પાડ્યો હતો.
આરોપીએ કબૂલ્યું હતું કે, રસ્તામાં ચાલતા ભટકાઈ જતા બન્ને વચ્ચે મારમારી થઈ હતી. જેમાં યુવકે છરો કાઢી હુમલો કરવા જતા તેણે છરો આંચકીને હત્યા કરી નાંખી હતી. જો કે, પોલીસે પ્રણય ત્રિકોણને પગલે હત્યાનું કાવતરૂ ઘડાયું હોવાનું જણાવ્યું હતું. છ મહિના અગાઉ સાબરમતીના અચેર ખાતે ચાલતા મેટ્રો રેલ પ્રોજેક્ટના કામને લઈને અનેક જગ્યાએ આડશ માટે રસ્તામાં પાટીયા ઊભા કરાયા છે.
અમદાવાદઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે છરાના ઘા ઝીંકીને હત્યા કરનાર એક રિઢા ગુનેગારને પકડી પાડ્યો છે. સાબરમતીના અચેર ખાતે મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ઊભી કરાયેલી આડશમાં જાહેર રોડ પર યુવકને છ મહિના પહેલા છરાના ઘા મારીને હત્યારો ફરાર થઈ ગયો હતો. જે અંગે તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો ત્યારે તેણે હત્યા કર્યાની કબૂલાત પણ કરી હતી.