હાર્દિકે પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસ પાસે શું માંગી સ્પષ્ટતા?

હાર્દિક પટેલે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગતા જણાવ્યું હતું કે, ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરો છો પણ કેવી રીતે કરશો અને બેકારોને ૨૫૦૦ રૂપિયાનું રોજગારી ભથ્થુ આપવાનું કહો છો પણ કેવી રીતે આપશો? આના અમલ માટે કરોડો રૂપિયા લાગશે, તે કેવી રીતે લાવશો? સાથે હાર્દિકે ઉમેર્યું હતું કે, ખાલી વચનો નહીં, પરંતુ લોકોના મગજમાં મુદ્દા ઉતરે તે રીતે કારણ સાથે વાત કરવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલે પાસના કાર્યકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો તેમને સહયોગ આપવાની વાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલે કોંગ્રેસ પાટીદારોને કઈ રીતે અનામત આપશે, તે મુદ્દે પણ કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે.
હાર્દિક પટેલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાટીદારોને કેવી રીતે 20 ટકા અનામત આપશે, તેની સ્પષ્ટતા કરે. આ સાથે તેણે ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની જાહેરાત અને બેકારોને ભથ્થું આપવાની વાત મુદ્દે પણ સ્પષ્ટતા માંગી હતી.