ગુજરાત ભાજપના 22 ધારાસભ્યો અમારા સંપર્કમાં, હાર્દિકનો ધડાકો:કેટલા MLA કરશે નોટાનો ઉપયોગ
વધુમાં હાર્દિકે કહ્યું કે, આનંદીબહેનના ગ્રુપના વિધાનસભ્યો છે તેઓ 'નોટા'નો ઉપયોગ કરી શકે છે.BJPના ૪૧ વિધાનસભ્યો છે એમાંથી બાવીસ વિધાનસભ્યોને રૂબરૂ મળ્યા હતા. છ વિધાનસભ્યોને મળ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે સમાજ પ્રત્યેની વફાદારી નિભાવવા પ્રયાસ કરીશું.'
તેણે કહ્યુ કે, BJPના ૪૧ પાટીદાર વિધાનસભ્યો છે. એમાંથી અમે બાવીસ પાટીદાર વિધાનસભ્યોના સંપર્કમાં છીએ. તેમને અહીં બોલાવ્યા હતા. ચારથી પાંચ વિધાનસભ્યો આ માટે રાજી થયા છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે મીડિયા સમક્ષ દાવો કર્યો હતો કે ગુજરાત BJPના બાવીસ પાટીદાર વિધાનસભ્યો સાથે અમે સંપર્કમાં છીએ અને રાજયસભાની ચૂંટણીમાં આનંદીબહેનના ગ્રુપના છ વિધાનસભ્યો 'નોટા'નો ઉપયોગ કરી શકે છે.
ગઇકાલે સોલા ઉમિયા ધામ ખાતે હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર યુવાનોની પોલીસે અટકાયત કરી હતી. હાર્દિક પટેલે આ બાબતનો વિરોધ કરીને આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું હતું કે 'સમાજના હિત માટે હું કાર્યક્રમ કરું છું. ખોડલધામ, ઉમિયાધામ સંસ્થા અમારી સાથે છે; પણ સરકારે પોલીસને આગળ કરીને દાદાગીરી અને ગુંડાગીરીના ઇશારે પાટીદારોને દબાવવાનો પ્રયાસ કર્યો છે.
હાર્દિકે કહ્યું કે, સમાજના યુવાનો સમાજની વાડીમાં કાર્યક્રમ ન કરે તો બીજે કયાં કરે? આ BJPની દાદાગીરી છે અને પોલીસનો દુરુપયોગ કરી રહી છે. BJPના પાટીદાર વિધાનસભ્યોને રિકવેસ્ટ કરી હતી કે ૧૪ પાટીદાર યુવાનોની હત્યા કરી છે તો રાજયસભાની ચૂંટણીમાં એક વાર સમાજની સાથે છીએ એ બતાવી દો અને નોટા ઉપયોગ કરો.