અમદાવાદઃ એવું તે શું થયું કે પતિએ કરી નાંખી પત્નીની હત્યા, કારણ જાણીને ફીટકાર વરસાવશો
આ પહેલા ગત 12મી મેના રોજ વાડજના ચંદ્રભાગાના ખાડામાં રહેતા કમલેશ દાતણીયાએ તેની પત્ની તારાના ચરિત્ર પર શંકા રાખી પેટ, છાતી અને શરીર પર બેટ વડે માર માર્યો હતો. આ પછી ઈજાગ્રસ્ત તારાને આસપાસના લોકોએ વી.એસ. હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં તેનું 23 મેએ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ડોક્ટરોએ તારાને ચાર મહિનાનો ગર્ભ હોવાનું કહ્યું હતું. પોલીસે પતિની ધરપકડ કરી છે.
અમદાવાદઃ શહેરના વાડજમાં એક પતિએ પોતાની ગર્ભવતી પત્નીની હત્યા કરી હોવાની ઘટના વિસરાઇ નથી, ત્યાં હવે શહેરના ગોમતીપુરમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. પતિએ પત્નીને ઢોર માર મારતાં તેના સારવાર માટે હોસ્પિટલ ખસેડવી પડી હતી. જ્યાં તેનું મોત થતાં ગોમતીપુર પોલીસ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
આ ઘટનાની વિગતો એવી છે કે, લગ્ન પછી પત્નીને પુત્ર ન થતો હોઈ પતિ ઉશ્કેરાઇ ગયો હતો. પુત્રની લાલચમાં અંધ બનેલા યુવકે પત્નીને ઢોર માર માર્યો હતો. જેને કારણે મહિલાને હોસ્પિટલ ખસેડવી પડી હતી. જ્યાં તેનું મોત થતાં સમગ્ર ઘટના પોલીસમાં પહોંચતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.