✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જયંતિ ભાનુશાળી હત્યા કેસ: હત્યારો આ રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની પોલીસને શંકા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2019 08:17 AM (IST)
1

ભચાઉના સ્ટેશન માસ્તરે સીસીટીવી લાગેલા નથી તે બાબતનો સ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, તેના માટે એપ્રુવલ એસએનટી વિભાગમાંથી કરાય છે. જ્યારે સામખિયાળી સ્ટેશન માસ્તરે સીસીટીવી ન હોવાની સીધી જ કબૂલાત કરી લીધી હતી.

2

સ્ટેશન પર કોચ ઈન્ડિકેટર પણ લાગેલા નથી. રેલ્વે તંત્રના આ સુરક્ષામાં છીંડાંનો લાભ લઈને જયંતિ ભાનુશાળીનો હત્યારો પણ આ બે સ્ટેશનમાંથી કોઈ એક પરથી જ સયાજી ટ્રેનમાં ચડ્યો હોવાની સંભાવનાને નકારી શકાતી નથી.

3

આ બન્ને સ્ટેશનો પર વાગડ-મુંબઈના પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોવા છતાં તંત્રના ઓરમાયાં વર્તનને લીધે સીસીટીવી લાગેલા ન હોવાથી ગુનાઈત તત્વોને મોકળું મેદાન મળી જાય છે.

4

ભચાઉ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીનું સોમવારે રાત્રે ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે, ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પરથી હત્યારો ટ્રેનમાં ચડ્યો હોવાની શંકા છે જેની પોલીસે હાલ તપાસ શરૂ કરી છે જોકે ભચાઉ-સામખિયાળી રેલ્વે સ્ટેશન પર સીસીટીવીની સુવિધા જ નથી.

  • હોમ
  • અમદાવાદ
  • જયંતિ ભાનુશાળી હત્યા કેસ: હત્યારો આ રેલ્વે સ્ટેશન પરથી ચડ્યો હોવાની પોલીસને શંકા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.