જીજ્ઞેશ મેવાણીએ મુખ્યમંત્રી રૂપાણીને શું આપી ખુલ્લી ચીમકી ? જાણો વિગત
મીઠાના અગરિયાઓને પુનઃવસન માટે અપાયેલી જમીનો સાચા લાભાર્થીને મળી શકી નથી. જીજ્ઞૈશ મેવાણીએ કહ્યું કે, અમે સીએમને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં, અને સાથે સાથે 14મી એપ્રિલે સામખિયા હાઇવે બંધ કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
અમદાવાદઃ ગુજરાતના વડગામ બેઠક પરન અપક્ષ ધારાસભ્ય જીજ્ઞૈશ મેવાણીએ સરકારની નીતિઓ બાદ હવે સીધો મુખ્યમંત્રી પર એટેક કર્યો છે. વિજય રૂપાણીને ધમકી આપતા કહ્યું કે, અમે બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં.
જીજ્ઞૈશ મેવાણીનો આક્ષેપ છે કે, ગુજરાતમાં કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં દલિતોની જમીન પર માથાભારે તત્વોએ કબજો કર્યો છે. ખુદ સરકારે ફાળવેલી જમીનો પણ દલિતોને મળી શકી નથી, ત્યારે ભાજપના રાજમાં દલિતોને હજુય અન્યાય થઇ રહ્યોં છે.
ઉલ્લેખનીય છે કે, જીજ્ઞૈશ મેવાણીએ ચિમકી ઉચ્ચારતા કહ્યું કે, રાજ્યમાં દલિતોને અન્યાય થઇ રહ્યો છે, સરકાર લાભો પણ દલિતોને યોગ્ય રીતે મળી શકતાં નથી. મેવાણીએ કહ્યું અમે મુખ્યમંત્રી રૂપાણીને બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાડવા દઇશું નહીં, અને સાથે સાથે 14મી એપ્રિલે સામખિયા હાઇવે બંધ કરીને આંદોલનની શરૂઆત કરવામાં આવશે.