હાર્દિકનો વિરોધ કરનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જ પડી ફાટફૂટ, કયા નેતાએ હાર્દિકને આપ્યો ટેકો?

જોકે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર આર પી પટેલે કહ્યું હતું કે, નચીકેત મુખી સંસ્થાનો ટ્રસ્ટી નથી. ઘણી સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોની સહાય કરી છે પરંતુ મુખીએ ક્યારેય આ માટે એક પૈસોય ખર્ચ્યો નથી.
હાર્દિકે પાટીદારો માટે OBC ક્વોટાની વાત પણ ભૂલાવી દીધી છે, તેવું આ કમિટીએ કહ્યું હતું. આ ગ્રુપના પ્રમુખ સી કે પટેલે કહ્યું હતું કે, જયાં સુધી તે અનામત માટે લડશે ત્યાં સુધી અમે તેની સાથે છીએ. જો તે રાજનીતિમાં જશે તો અમે તેનો વિરોધ જરુર કરીશું. જો કોંગ્રેસ પક્ષ પાટીદારોને OBCનો દરજ્જો આપશે તો અમે તેમનો સાથ જરુર આપીશું પણ અમે અનામતના વાતે રાજનીતિ કરાય તે વાતનો સખત વિરોધ કરીશું.
તેમણે એમ પણ કહ્યું હતું કે, સમાજ દ્વારા અનામત આંદોલનના નેતાઓ હાર્દિક પટેલ અને લાલજી પટેલને સમર્થન અપાયું છે પરંતુ ભાજપના કેટલાંક લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે. નોંધનીય છે કે, હાલમાં જ અસ્તિત્વમાં આવેલી પાટીદાર કોર કમિટી (PCC) દ્વારા હાર્દિક ખાનગી આંદોલન ચલાવી રહ્યો હોવાની વાત કરાઈ હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, હાર્દિક ભાજપ સામે રાજકીય રીતે લડી લેવા માગે છે.
અમદાવાદઃ બે-ત્રણ દિવસ પહેલા હાર્દિક પટેલનું આંદોલન ખાનગી હોવાનો આક્ષેપ કરનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ફાટફૂટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલની ટીકા કરનારા આ સંગઠનના નેતા જ હવે ખુલ્લેઆમ હાર્દિકની તરફેણમાં બહાર આવ્યા છે.
નચીકેત મુખીએ કહ્યું હતું કે, આંદોલનનો વિરોધ કરનારાઓ ખરેખર તો હાર્દિકની આગેવાનીનો વિરોધ કરી રહ્યા છે. અનામત આંદોલનને મોટાભાગના પાટીદારોનો ટેકો છે પરંતુ ભાજપના કેટલાંક લોકો આંદોલન સફળ થાય તેવું નથી ઈચ્છતા. તેમને લાગે છે કે આ આંદોલનની સફળતા હાલની સરકાર માટે ઘાતક પુરવાર થશે. જેથી તેઓ પાયાવિહોણા નિવેદનો આપી રહ્યા છે.
સરદાર પટેલ ગ્રુપ (SPG)ના નેતા નચિકેત મુખી પોતે ઉમિયા ફાઉન્ડેશનના 500 ટ્રસ્ટીઓ પૈકી એક હોવાનો દાવો કરે છે. મુખીએ હાર્દિકની આગેવાનીનો સ્વીકાર કરતું એક નિવેદન આપ્યું છે તેના કારણે સંગઠનમાં ફાટફૂટ હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે આ જ સંસ્થાના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ત્રણ દિવસ પહેલા હાર્દિક ખાનગી આંદોલન ચલાવી રહ્યો છે તેવી વાત કહેવામાં આવી હતી.