સુરત પાસના નિખિલ સવાણીએ ભાજપમાંથી રાજીનામું આપતી વખતે કર્યા કેવા ધડાકા ? જાણો વિગત

અમદાવાદઃ દિવાળી પહેલાં ભાજપમાં જોડાયેલા પાટીદાર નેતા નીખિલ સવાણીએ નવા વરસની શરૂઆતમાં જ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નીખિલ સવાણીએ પાટીદારના હિતમાં ભાજપમાં જોડાયો હોવાની વાત કરતાં કહ્યું કે, “મારે દુખની સાથે કહેવું પડે છે કે ભાજપ પાટીદાર સમાજ સાથે વોટબેંકની રાજનીતિ કરી રહી છે.
નીખિલ સવાણીએ પત્રકાર પરિષદ સંબોધતાં કહ્યું કે, નરેન્દ્ર પટેલ એક નાના પરિવારથી આવે છે તેમ છતાં તેને 1 કરોડ રૂપિયાની ઓફર ઠુકરાવી સમાજનો સાથે આપ્યો, તે માટે તેમને હું અભિનંદન પાઠવું છું. હાર્દિક પટેલ જે આંદોલન કરી રહ્યો છે તે યોગ્ય જ છે.
બે અઠવાડીયા પહેલાં ભાજપમાં જોડાયેલાં નીખિલ સવાણીએ સોમવારે ઓચિંતી પ્રેસ કોન્ફરન્સ કરી પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાતત કરી છે. નીખિલ સવાણીએ ભાજપ પર સોદાબાજી કરતાં હોવાનો આક્ષેપ કરી કહ્યું કે, ભાજપના લોકો સોદાબાજી કરે છે. પોતાના પક્ષમાં ભેળવવા માટે તેઓ કરોડો રૂપિયાની લ્હાણી કરે છે.
સોમવારે અમદાવાદમાંપ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં નીખિલ સવાણીએ કહ્યું કે, હાર્દિક પટેલ અને મારી વચ્ચે મતભેદ થઈ શકે છે પરંતુ મનભેદ નહીં. મેં પાટીદાર સમાજના હિતમાં જ કામ કર્યું છે, અને સમાજના હિત માટે થઈને જ ભાજપની સાથે જોડાયો હતો.
ભાજપમાંથી રાજીનામું આપ્યાં બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માગીશ. પ્રયાસ કરીશ કે હાર્દિક પટેલને રાહુલ ગાંધીનો સાથે મળે. નરેન્દ્ર પટેલે રવિવારે સાંજે 7 વાગ્યે ભાજપમાં સામેલ થયાં અને રાત્રે 11 વાગ્યે તેઓ મીડિયાને જણાવ્યું કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થવા માટે એક રૂપિયાની ઓફર કરી છે.
આ ઉપરાંત તેણે કહ્યું કે, ભાજપ સરકારે ચાર મુદ્દા અંગે ખાતરી આપી તેના આધારે જ ભાજપમાં સામેલ થયો હતો પરંતુ મને લાગે છે કે આ મુદ્દાઓ પર કોઈ જ કામ નથી થતું. ભાજપ પાટીદાર સમાજને મૂર્ખ બનાવી રહી છે. જે પણ પાર્ટી પાટીદારનો સાથે આપશે હું તેની સાથે જ જઈશ.
સવાણીએ કહ્યું કે, સવાણીએ વધુમાં કહ્યું કે, મને ભાજપમાં સામેલ થવાના કોઈ જ પૈસા નથી મળ્યાં જો પૈસા જ લેવાં હતા તો હું દોઢ વર્ષ પહેલાં જ ભાજપમાં સામેલ થઈ ગયો હોત. નીખિલ સવાણીએ કોંગ્રેસ અંગે જણાવ્યું કે, જો મારે કોંગ્રેસમાં જવું હોત તો હું ભાજપમાં આવત જ નહીં.