પાસના કન્વીનર પંકજ પટેલનું મોત અકસ્માત નહીં પણ રાજકીય હત્યાઃ હાર્દિકનો આક્ષેપ, બીજું શું કહ્યું?

તેણે લખ્યું છે કે, ગુજરાત રાજ્યમંત્રી જયંતિ કવાડીયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ગામડાઓમાં આ જ મારો ભાઈ પંકજ સભા કરતો. તેણે લખ્યું છે કે, આ મૃત્યુ સામાન્ય નહીં હત્યા છે. ભાજપ તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે અને જવાબ મળશે. પાટીદાર સમાજના શહીદ યુવાનોના પરિવારની હાય લાગશે.
હાર્દિકે પંકજ અંગે ફેસબૂક પેજ પર લખ્યું છે કે, સુરતમાં પ્રધાનમંત્રીના રોડ શોથી ૪૦૦ કિલોમીટરથી વધારે લાંબો રોડ શો હળવદમાં એક રૂપિયાના ખર્ચ વગર કર્યો. ૫૦ હજાર પાટીદાર યુવાનો એકઠા કરવામાં આ મારો વ્હાલો પંકજ મહેનતમાં હતો. આજે અમારી વચ્ચે નથી. ભાજપ વાળાઓએ એની હત્યા કરાવી નાખી કેમ કે, આ પંકજે ખનીજ ચોરી બંદ કરાવી હતી.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર પંકજ પટેલની અકસ્માતમાં નહીં, પરંતુ રાજકીય હત્યા થઈ હોવાનો આક્ષેપ હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર આ અંગે કોમેન્ટ કરી છે, તેણે લખ્યું છે કે, હળવદના પાસ કન્વીનર પંકજ પટેલની અકસ્માતના નામે હત્યા. તેણે પંકજની રાજકીય હત્યાની આશંકા વ્યક્ત કરતાં ભગવાન પંકજની આત્માને શાંતિ આપજે, તેમ પણ લખ્યું છે.