‘અમે પટેલોએ ગુજરાતમાં ભાજપને સત્તા અપાવી છે, હવે અમે જ તેમને ધૂળચાટતા કરી દેવાના છીએ’
હાર્દિકે ભાજપને મહિલા વિરોધી ગણાવતાં કહ્યું કે, કેન્દ્રમાં યુપીએનુ શાસન હતું ત્યારે ભાજપે દિલ્હીના નિર્ભયા કેસને ચગાવ્યો હતો. હવે સમગ્ર ગુજરાતમાં નિર્ભયા જેવા કેસો થઇ રહ્યા છે. તાજેતરમાં સૌરાષ્ટ્રમાં શું થયું ? ત્યારે ભાજપ શા માટે એ લોકોનો અવાજ નથી ઉઠાવતો ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે કહ્યું છે કે બધાને શિક્ષણના નામે ભાજપ નફો કમાવવાની વિચારધારાને આગળ ધપાવે છે. ખેડૂતો માટે ભાજપે શું કર્યુ ? હાર્દિકે કહ્યું કે આપણા ભાઇઓ સરહદે લડે છે, પણ તેમને સારું ખાવાનું પણ નથી મળતું. યુવાનો શિક્ષણની ગુણવતાની ફરિયાદ કરી કરે છે, લોકોને રોજગાર મળતા નથી તો ભાજપ સરકાર શું કરે છે ?
હાર્દિક પટેલે કેજરીવાલની આપ કે કોંગ્રેસમાં જોડાવા અંગે કોઇ ફોડ પાડ્યો નથી. એ જ રીતે પોતે સ્વતંત્ર લડાઇ લડશે કે પછી નીતિશ કુમાર કે અખિલેશનો ટેકો લેશે તે અંગે પણ મૌન રાખ્યું. આ મુદ્દે તેમણે કહ્યું કે, થોભો અને રાહ જુઓ પણ એક બાબત સ્પષ્ટ છે કે હું ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી દઇશ.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ગુજરાતમાંથી ભાજપનો સફાયો કરી નાંખવાનો હુંકાર કરતાં કહ્યું છે કે, અમે પટેલોએ ગુજરાતમાં ભાજપને સત્તા અપાવી છે, હવે અમારે તેમને ધૂળચાટતા કરી દેવાના છે. ગુજરાતની ભૂમીના એક પુત્ર તરીકે હું ગુજરાતને આ વચન આપું છું.
અમદાવાદના એક અંગ્રેજી અખબારને આપેવી મુલાકાતમાં 23 વર્ષના હાર્દિક પટેલે હુંકાર કર્યો છે કે હું 2017માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતનાં રાજકીય સમીકરણો બદલી નાખીશ. હાર્દિક પટેલે કહ્યું છે કે મને લાગે છે કે પોતે જનતાની નાડ પારખે છે અને ભાજપનો સફાયો કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -