✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2017 11:00 AM (IST)
પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?
1

આ બેઠકમાં ઉમિયા માતા સંસ્થાન-ઉંઝા, સમસ્ત પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદ, ઉમિયા માતા-સિદસર, શ્રી સરદાર ધામ-અમદાવાદ અને ખોડલધામ-કાવવડના 20 જેટલા પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમની વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી ઉપરના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ સંસ્થાઓ ભાજપને ટેકો આપે તેવી પણ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

2

આ બેઠકમાં આગામી ચૂંટણીમાં કઈ પાર્ટીને સમર્થન આપવું તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પાટીદારો ભાજપને સમર્થન જાહેર કરે તેવી શક્યતા વધુ છે.

3

ગત બુધવારે પાટીદાર સમાજની ટોચની છ ધાર્મિક-સામાજિક સંથાના પ્રતિનિધિઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપ સરકાર દ્વારા બિનઅનામત વર્ગ માટેના આયોગ, સાંપ્રત પરિસ્થિતિ અને ખોડલધામના નરેશ પટેલની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

4

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર આંદોલનની અસર ન પડે તે માટે ભાજપ સરકાર સક્રીય થઈ ગઈ છે. તેમણે તાજેતરમાં જ સમાધાન માટે પાટીદાર સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ પાસ-એસપીજીના કન્વીનરોને બોલાવ્યા હતા. તેમજ સમાધાન માટેની વાત કરી હતી. જોકે, આ સમયે પાસ દ્વારા સમાધાનને લોલીપોપ ગણાવવામાં આવી હતી. બીજી તરફ પાટીદાર અગ્રણીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો હતો.

5

ભાજપનું ગણિત એવું છે કે, જો પાટીદાર સંસ્થાઓ ભાજપને ટેકો જાહેર કરી દે તો આંદોલનની અસર ઓછી થઈ શકે છે અને ચૂંટણીમાં ભાજપને જે નૂકસાનની શંકા છે તે ન થાય. ભાજપની ગણતરી પ્રમાણે પાટીદાર આગેવાનોએ જાહેર ખબર આપીને સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે આગામી સમયમાં સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપે તેવી વાત સામે આવી છે.

6

બેઠકમાં પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા આંદોલનકારીઓના પરિવારજનોને 35 લાખ રૂપિયા દિવાળી પહેલા આપવાનો નિર્ણય લેવાયો હતો. આ રૂપિયા પાટીદાર સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા ચૂકવવાનો નિર્ણય પણ લેવાયો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • પાટીદારોની કઈ ધાર્મિક સંસ્થાઓ ખુલ્લેઆમ આપશે ભાજપને ટેકો? ભાજપનો શું છે ગેમ પ્લાન?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.