નરેન્દ્ર મોદી 27મીથી ગુજરાતમાં, 15 સભાને સંબોધશે, જાણો ક્યાં ક્યાં યોજાશે સભા ?
દરમિયાન ભાજપના પ્રવકતા યમલ વ્યાસે જણાવ્યુ છે કે પીએમના કાર્યક્રમ ઉપર કામકાજ ચાલી રહ્યુ છે. ગુજરાતમાં 22 વર્ષથી ભાજપનું શાસન છે અને ભાજપને આ વખતે પાટીદાર અને કોંગ્રેસ તરફથી ટક્કર મળી રહી છે એવામાં ભાજપ પીએમ મોદીની વધુને વધુ રેલીઓ યોજવા ઇચ્છે છે સામાન્ય રીતે પીએમ મોદી 10 વિધાનસભા બેઠકો માટે એક રેલી કરતા હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર્યક્રમમાં સૌથી મહત્વની વાત એ છે કે, પીએમ મોદી સૌરાષ્ટ્રમાં 11 રેલીઓ અને દ.ગુજરાતમાં 4 રેલીઓને સંબોધન કરશે. આ વિસ્તારોમાં પાટીદારોની મોટી વસ્તી છે. દ.ગુજરાત અને ખાસ કરીને સુરતમાં જીએસટી વિરૂધ્ધ મોટાપાયે દેખાવો થયા હતા. અહીના વેપારીઓને પોતાની તરફ લાવવા ભાજપને ઘણી મહેનત કરવી પડી રહી છે.
તેઓ 29મીએ નવસારી, ભરૂચ, જુનાગઢ અને ભાવનગરની મુલાકાત લઇ શકે છે. 3જી ડિસેમ્બરે તેઓ કદાચ તાલાલા, મોરબી અને રાજકોટમાં સભાને સંબોધન કરશે. તે પછી 4 ડિસેમ્બર રાજયની મુલાકાતે આવશે અને સુરેન્દ્રનગર, પાલીતાણા, જસદણ અને જામનગરમાં સભાઓને સંબોધન કરશે.
અમદાવાદ: ગુજરાતમાં ભાજપને વિજય અપાવવા માટે પીએમ મોદી 27 નવેમ્બરથી મોરચો સંભાળીને રાજયના વિવિધ વિસ્તારોમાં 15 જેટલી સભાઓને સંબોધન કરશે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા પક્ષના સુત્રોએ આ માહિતી આપી હતી. પ્રારંભિક કાર્યક્રમ અનુસાર પીએમ મોદી 27મીએ ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં રેલીઓને સંબોધન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -