PM નરેંદ્ર મોદી ફરી ગુજરાતમાં સભાઓ ગજવશે, જાણો ક્યાં થશે રેલીઓ અને સભા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Nov 2017 07:35 AM (IST)
1
મળતી માહિતી પ્રમાણે, પીએમ નરેંદ્ર મોદી 27 નવેમ્બરે ભુજ, અમરેલી, વાપી અને કામરેજમાં સભાઓ ગજવશે, ત્યારબાદ 28 નવેમ્બરે નવસારી, ભરૂચ, જૂનાગઢ અને ભાવનગરમાં, 3ડિસેમ્બરે તલાલ, મોરબી, રાજકોટમાં સભા સંબોધશે.
2
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ અને ભાજપના નેતાઓ પણ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે વડાપ્રધાન નરેંદ્ર મોદી એકવાર ફરી ગુજરાતમાં સભાઓ ગજવશે.
3
પીએમ નરેંદ્ર મોદી અમદાવાદના એસજી હાઈવે સ્થિત એસજીવીપી હોસ્પિટલનું ઉદ્ધઘાટન કરશે. 4 ડિસેમ્બરે સુરેન્દ્રનગર, પાલિતાણા, કેશોદ અને જામનગરમાં રોડ રેલી અને સભાને સંબોધશે.