✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવક-યુવતીને બંધાયા સંબંધો, બંને ભાગ્યા પછી પકડીને લવાયાં ને શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Jul 2017 03:55 PM (IST)
1

આ આશંકાને આધારે મિતલના પિતા સગરામજી, મૈલેશ, કાળાજી, હર્ષદજી અને રાવજીભાઇ ઠાકોરે ભેગા મળી ગત ત્રીજી મેના રોજ વહેલી સવારે મનોરજીને ઘરે બોલાવી માથામાં માર મારી, ગળું દબાવી હત્યા કરી લાશને ગામના લીમડાના ઝાડ પર લટકાવી દીધી હતી.

2

આ સમયે મિતલના પરિવારજનોએ બોલાચાલી કરી હતી અને હવે ઉવારસદ ન આવવા જણાવી દીધું હતું. આ પછી યુવતીના તાબડતોબ લગ્ન નક્કી કરાયા હતા. મિતલના લગ્ન આઠ મેના રોજ હતા. જોકે, દીકરી અગાઉ પ્રેમી સાથે ભાગી ગઈ હોવાથી તે પ્રેમી સાથે ભાગી જશે તેવી આશંકા તેમને હતી.

3

આ અંગેની વિગતો એવી છે કે, મૂળ મહેસાણાના થલોટા ગામનો મનોરજી ઉર્ફે મુન્નો (ઉં.વ.ર૬) વાવોલ ખાતે રહીને ઘોડાને તાલીમ આપવાનું કામ કરતો હતો. મુન્નાને અડાલજ પાસે આવેલા રાણપુરા ગામના સગરામજી ઠાકોરની પુત્રી મિતલ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણ મહિના અગાઉ બંને ભાગી ગયા હતા, પરંતુ તેઓ એક જ દિવસમાં પરત આવી ગયા હતા.

4

અમદાવાદ: ગત ત્રીજી મેના રોડ અડાલજ પાસે આવેલા ઉવારસદના રાણપુરા ગામ પાસેથી યુવકની ઝાડ સાથે લટકતી લાશ મળી આવી હતી. આ સમયે યુવકે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોસ્ટમોર્ટમમાં ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવતાં પોલીસે આ દિશામાં તપાસ કરી હતી. આ તપાસમાં યુવકની પ્રેમપ્રરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

5

મુન્નાની હત્યા પછી મિતલના પરિવારજનોએ તેને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાશ લીમડાના ઝાડ સાથે લટકાવી દીધી હતી. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવી હત્યા કરાયાનું ખુલતાં પોલીસે છ લોકો વિરુદ્ધ હત્યા અને કાવતરું ઘડવા અંગે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવક-યુવતીને બંધાયા સંબંધો, બંને ભાગ્યા પછી પકડીને લવાયાં ને શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.