✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રેશ્માએ કયા મુદ્દે લીધી નીતિન પટેલની મુલાકાત? શું કરી રજૂઆત?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Oct 2018 02:16 PM (IST)
1

રેશ્મા પટેલે અગાઉ આક્ષેપ કર્યા હતા કે તેણે શહીદના પરિવાજનોને નોકરી માટે અનેક વખત મૌખિક રજૂઆત કરી હતી. આ પહેલા રેશ્માએ આક્ષેપ કર્યા હતા કે, તેની વાતને પક્ષમાં સાંભળી ન સાંભળી કરાઈ રહી છે. ત્યારે તેણે સોશિયલ મીડિયામાં પોતાની હૈયાવરાળ ઠાલવીને સીએમને પત્ર લખ્યો હતો. જે બાદ પ્રદિપસિંહ જાડેજા અને નીતિન પટેલ સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી.

2

અમદાવાદઃ બે દિવસ પહેલા જ પાટીદાર શહીદોના પરિવારને નોકરી મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખનાર રેશ્મા પટેલે ગઈ કાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી. તેમણે આ બંનેને મળીને પાટીદાર શહીદોના પરિવારના સભ્યને નોકરી આપવા રજૂઆત કરી હતી.

3

રેશ્મા પટેલે નીતિન પટેલની મુલાકાત પછી મુલાકાત પછી કહ્યું હતું કે, મેં ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની મુલાકાત લઈ પાટીદાર શહીદ પરિવારના વ્યક્તિઓના રિઝ્યુમ આપ્યા છે. તેમજ સરકાર આ વિષયને પ્રાથમિકતા આપી જલ્દીમાં જલ્દી નોકરીઓ મળે એ દિશામાં આગળ કામ વધારશે એવી ખાત્રી આપી છે. મને આશા છે કે પાટીદાર સમાજના આ પડતર પ્રશ્નનો ઉકેલ આવશે.

  • હોમ
  • અમદાવાદ
  • રેશ્માએ કયા મુદ્દે લીધી નીતિન પટેલની મુલાકાત? શું કરી રજૂઆત?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.