શંકરસિંહના જનમોરચાએ આપ્યા કયા કયા મોટા વચનો? કોને શું આપવાનો કરાયો વાયદો?

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી માટેની તૈયારીઓ દેખાવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ એક બીજાને નીચા દર્શાવી પોતાની છબી મજબૂત રીતે ઉપસાવવા પ્રતિબદ્ધ છે. આ વચ્ચે, એક નવું પરિમાણ ગુજરાતની રાજનીતિમાં ઉભરતું દર્શાઈ રહ્યું છે અને એ છે જનવિકલ્પ. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે.
સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે. વેબસાઇટ પર લોકોને વચનોની લ્હાણી પણ કરાઇ છે.