માતાએ મમતા નેવે મૂકીઃ 1 વર્ષ સુધી દૂધ ન પીવડાવતા દીકરો બ્રેઈન ડેડ થઈ ગયો
તેમ છતાં તોરલ અમારા બાળકને જોવા આવેલ નહીં કે આજદિન સુધી તેણે બાળકને માતાનું દૂધ-પ્રેમ-હૂંફ આપેલ નથી. જેથી અમારા બાળકને 1 વર્ષની ઉમરે બ્રેઈન ડેડ જેવી તકલીફ થઇ છે, જેના કારણે તે પડખું ફરી શકતો કે હાથ- પગ હલાવી શકતો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુત્રને તરછોડીને ચાલી ગયેલી તોરલનો સંપર્ક કરી તેને સમજાવવા છતાં તે માની ન હતી અને ખરેખર જ્યારે બાળકને માતાના દૂધની જરૂર હતી તે સમયે માતાનું દૂધ આપેલ નહીં અને બાળકને છોડીને જતી રહેલ. અમે ઘણા બધા ડોક્ટરોને બતાવતા અન્નનળીના મેજર ઓપરેશનની સલાહ આપેલ અને ડોક્ટરના કહેવા પ્રમાણે આ ઓપરેશન દરમિયાન મારા પુત્ર રુદ્રને બ્રેઈન ડેડ થઇ ગયેલ.
જોકે રૂત્રને કૃત્રિમ ખોરાક આપવા નળી નાંખવામાં આવી હતી અને દિવસમાં આઠ વખત તેને ખોરાક આપવો પડતો હતો. આ તમામ બાબતો જાણવા છતાં તોરલ આરામ કરવાના બહાને પીયર ચાલી ગઈ હતી.
અમદાવાદઃ શહેરમાં એક બાળકને માતાનું દૂધ, હૂંફ અને પ્રેમ ન મળતા બ્રેઈન ડેડ થવાની ઘટના સામે આવે છે. અન્નનળી વગર કુદરતી ખામી વાળા દીકરાનો જન્મ થતાં જનેતા તેને હોસ્પિટલમાં જ છોડીને પિયર જતી રહી હતી. પિતા અને દાદા-દાદીએ માતા કરતાં પણ વધારે સારી રીતે બાળકની દેખરેખ કરી. પરંતુ યોગ્ય વિકાસના અભાવે એક વર્ષ બાદ બાળકનું બ્રેઈન ડેડ થઇ ગયું હતું. બાદમાં બાળકને બ્રેઈન ડેડ થતાં બાળકના પિતાએ તેની પત્ની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. એક વર્ષ પછી પણ માતા પાછું વળીને દીકરાને જોવા ન આવતા પતિ તેમજ સાસુ-સસરાનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.
જોકે બાળક અન્નનળી વગરનું કુદરતી ખામીવાળું જન્મ્યુ હતું. તોરલને સીઝેરિયન કર્યું હોવાથી બાળકને અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યું હતું. અન્નનળી વિનાના બાળકને માતાનું દૂધ તેમજ હૂંફ-પ્રેમ આપવામાં આવે તો રિકવરી જલદી આવે તેમ ડોક્ટરે જણાવ્યું હતું. જન્મ બાદ રૂદ્રને એક વખત તોરલે દૂધ આપ્યું હતું.
એસ્ટેટ બ્રોકર ઘનશ્યામ ડાહ્યાભાઈ પટેલ ચાંદખેડામાં રહે છે. તેમણે પત્ની તોરલ સામે ફરિયાદ નોંધાવી ચે. વર્ષ 2011માં ઘનશ્યામભાઈના લગ્ન કેસરભાઈ નાથાભાઈ પટેલની પુત્રી તોરલ સાથે થયા હતા. તોરલે વર્ષ 2014માં એક પુત્રીને જન્મ આપ્યો હતો. બાદમાં 21 જાન્યુઆરી 2017ના રોજ નવા વાડજની ખાનગી હોસ્પિટલમાં તોરલે એક પુત્રને જન્મ આપ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -