લાલજી પટેલ દ્વારા સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ, માંગ પુરી નહીં થાય તો પાટીદારો.....? જાણો વિગત
7. પાટીદાર અનામતનો મુદ્દો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારને લેખીતમાં રજુઆત કરે. 8.અલ્પેશ કથીરીયા તથા અન્ય પાટીદાર યુવાનોના વિરુદ્ધ કરેલ કેસો પરત ખેંચી જેલ મુક્ત કરવામાં આવે તથા અગાઉ આપશ્રીની સરકારે આપેલ વચન પ્રમાણે પાટીદારોના તમામ કેસો પરત ખેંચેલ નથી જે પરત ખેંચવામાં આવે.
5. ઉપવાસ ઉપર બેઠેલા હાર્દિક તથા અન્ય પાટીદાર યુવાનોની લેખીત ખાત્રી આપી પારણાં કરવામાં આવે. 6.પાટીદાર સમાજની તથા પાટીદાર સમાજના યુવાનોની તમામ માંગણીઓ લેખીતમાં સ્વીકારવામાં આવે.
3. જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં તથા ગુજરાતના અન્ય સ્થળોએ કરવામાં આવેલા પોલીસના દમનકારી વલણ સામે પગલા ભરવામાં આવે. 4. ગુજરાતના ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે.
1. પાટીદાર સમાજને બંધારણીય અનામત આપવામાં આવે. 2. પાટીદાર સમાજના આંદોલનમાં શહીદ થયેલા 14 યુવાનોના પરિવારના એક સભ્યને કાયમી સરકારી નોકરી આપવામાં આવે તથા શહીદ થયેલા યુવાનોના પરિવારના સભ્યોને વિશેષ નાણાકીય સહાય કરવામાં આવે.
લાલજી પટેલે જણાવ્યું હતું કે, આ તમામ માંગણીઓ સ્વીકારી ઝડપથી ઉકેલ લાવવામાં આવે નહીંતર ગુજરાતની પરિસ્થિતિ દિન-પ્રતિદિન વણસશે જેની જવાબદારી ગુજરાતની ભાજપ સરકારની રહેશે.
હોદ્દેદારોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સંગઠનને મજબુત કરવા પર ભાર મુક્યો હતો અને સરકાર સમક્ષ રજુ કરેલી માંગણી જો સરકાર દ્વારા સ્વીકાર નહીં આવે તો સરકાર સામે આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી. સભામાં હાજર યુવાનોને લાલજી પટેલે કહ્યું હતું કે, યુવાનોને સોશિયલ મીડિયામાં પણ એસ.પી.જી.નો અવાજ બુલંદ કરવા આહ્વાન કર્યું હતું. સરકાર વિરુદ્ધ પોસ્ટ મુકી સમાજને જાગૃત કરવા હાંકલ કરી હતી.
કલોલના છત્રાલ ગામે પાટીદાર સમાજની વાડીમાં સરદાર પટેલ સેવા ગ્રુપના હોદેદારોની સભા બપોરના 4 વાગ્યે યોજાઈ હતી જેમાં ગુજરાતના ગામે ગામના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.
અમદાવાદઃ સરદાર પટેલ સેવા ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે ગુજરાત સરકારને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. લાલજી પટેલે જણાવ્યું હતું કે, જો 72 કલાકમાં અમારા 8 મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં સરકાર વિરુદ્ધ જલદ કાર્યક્રમો યોજવામાં આવશે. લાલજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમો કરતા અમને કોઈ નહીં રોકી શકે.