✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

3 માર્ચના રોજ યોજાશે સ્ત્રીઆર્થ-૩ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Feb 2018 06:24 PM (IST)
1

સ્ત્રીઆર્થ-૧માં ૨૧, અને સ્ત્રીઆર્થ-૨માં ૩૩ વાર્તાઓ બાદ, ત્રીજા ભાગમાં વિવિધ દેશ-શહેર-ગામની, આદિવાસીથી માંડીને મેટ્રો સિટીમાં વસતી સ્ત્રી લેખકોએ, અલગ અલગ સંવેદના વ્યક્ત કરી છે અને વિભિન્ન વિષયો સાથે અનોખી ૩૯ ટૂંકી વાર્તાઓ આલેખી છે. ગુજરાતી લેખક મંડળના પ્રમુખ મનીષી જાનીના અધ્યક્ષપદે યોજાનારા વિમોચન, વાર્તા પઠન અને વક્તવ્યનાં આ કાર્યક્રમનો વાંચનપ્રેમી મિત્રો લાભ લઇ શકશે.

2

”સ્ત્રીઆર્થ”ના સંપાદક, લેખક પ્રતિભા ઠક્કરે પુસ્તક અંગે વાત કરતા જણાવ્યું હતું કે, અનેક સ્ત્રી લેખકો છેલ્લા ૩ વર્ષ માં, ફેસબુક અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના માધ્યમો થકી જોડાતા ગયા. ધારદાર શબ્દોની અને સામાજિક નિસ્બતવાળા વિષયો પરની ઓનલાઈન મહેફિલો મંડાતી ગઈ, અને ખાસ વાર્તા લેખનના વિવિધ મુકામો પર મળતા રહ્યા છીએ.

3

અમદાવાદઃ અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે લેખક પ્રતિભા ઠક્કરના સ્ત્રીઆર્થ-૩ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ 3,માર્ચના રોજ સાંજે સાડા ચાર વાગ્યે યોજાશે. કાર્યક્રમમાં હાજર રહેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. પુસ્તકનું વિમોચન જાણીતા કર્મશીલ કવિયત્રી અને લેખિકા સરૂપ ધ્રુવનાં હસ્તે થશે.

  • હોમ
  • અમદાવાદ
  • 3 માર્ચના રોજ યોજાશે સ્ત્રીઆર્થ-૩ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.