અમદાવાદઃ પૂરપાટ આવતી BRTSએ એક્ટિવા-કારને લીધા અડફેટે, બેનાં મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Jan 2019 07:55 AM (IST)
1
2
3
4
5
6
આ અંગેની વિગતો એવી છે કે, પુરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે એક્ટીવા અને કારને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક શંભુસિંહ પવારનું ઘટનાસ્થળે મોત થયું છે. જ્યારે કારમાં સવાર ચાર લોકોને લઇજા થતાં ઘાયલોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું છે.
7
અમદાવાદઃ શહેરના શાસ્ત્રીનગર ચાર રસ્તા પર ટ્રિપલ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત થયું છે. ચારને ઇજા થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોડી રાતે આ અકસ્માત સર્જાયો હતો.