વિસનગર કોર્ટે કયા 14 પાટીદાર યુવાનોને છોડ્યા નિર્દોષ? જાણો
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા છે અને બે-બે વર્ષની સજા ફટકારી છે. જ્યારે 14 પાટીદાર યુવકોને નિર્દોષ છોડી મૂક્યા છે. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
આ ઉપરાંત પટેલ જયંતિભાઈ લીલાચંદ, પટેલ ભરતભાઈ સોમાભાઈ, પટેલ સુરજકુમાર પ્રવીણભાઈ, પટેલ સંજયભાઈ ત્રિભોવનભાઈ અને પટેલ સંજયકુમાર લક્ષ્મણભાઈને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
નિર્દોષ છોડાયેલા યુવકોમાં પટેલ હેંમતકુમાર રમણીકલાલ, પટેલ દિનેશકુમાર સોમાભાઈ, પટેલ રાજેન્દ્રકુમાર કાંતિલાલ, પટેલ કૃણાલકુમાર મનુભાઈ, પટેલ પાર્થ ભાણજીભાઈ, પટેલ પ્રશાંતકુમાર જીવણલાલ, પટેલ ગોવિંદભાઈ જોઇતારામ, પટેલ ગોવિંદભાઈ મગનલાલ, પટેલ પરેશકુમાર સેવંતીલાલનો સમાવેશ થાય છે.