વિસનગરમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલ, લાલજી દોષિત, તમામને બે-બે વર્ષની સજા
હાર્દિક સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરતાં તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
આ રેલી દરમ્યાન ભાજપના ધારાસભ્યની ઋષિકેશ પટેલની ઓફીસમાં તોડફોડ, કેમેરા તોડવા અને મોબાઈલ લૂંટવાની ફરિયાદ મામલે નોંધાઈ હતી. આ કેસમાં કુલ 17 આરોપીઓ હતા. આ આરોપીઓમાં પાસના હાર્દિક પટેલ અને સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના લાલજી પટેલનો સમાવેશ થતો હતો. ત્રણેયને 147.148.149 427 અને 435 નીચે દોષિત આપવામાં આવ્યા છે.
ધારાસભ્યને 40 હજારનું વળતર ચુકવવાનો આદેશ અપાયો છએ. જ્યારે કાર માલિકને એક લાખ વળતર આપવાનો આદેશ કરાયો છે. જ્યારે ફરિયાદીને દસ હજારનું વળતર તેમજ આરોપીઓને 50 હજારનો દંડ ફટકારાયો છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ અને અંબાલાલ પટેલને આજે કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો અને ત્રણેય દોષિતોને બે-બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.