Vastu Tips:ઘરગથ્થુ અને રોજિંદા કાર્યો માટેના નિયમો અને સમય વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં નિર્ધારિત કરવામાં આવ્યા છે. જો તમે આ વસ્તુઓને ખોટા સમયે કરો છો, તો તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે.


આજકાલ લોકો પોતાનું કામ નિયમો અને સમય પ્રમાણે નહિ પણ પોતાની સુવિધા મુજબ કરે છે. જો તમે પણ તેમાંથી એક છો તો તમારે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં આવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જેને ખાસ કરીને રાત્રે ટાળવા જોઈએ.રાત્રે અથવા સૂર્યાસ્ત પછી કરવામાં આવેલા આ કાર્યોને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ઝડપથી વધવા લાગે છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડે છે. તેથી, જાણો કે કયા કાર્યો રાત્રે કરવા માટે સલાહ આપવામાં આવતી નથી.


નખ કાપવાઃ રાત્રે વાળ અને નખ કાપવાની પણ મનાઈ છે. રાત્રે આ વસ્તુઓ કરવાથી નકારાત્મકતા વધે છે. આ સાથે જ શાસ્ત્રોમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ કે નખ કાપવા અશુભ માનવામાં આવે છે.


સફાઈ: ઘરની સફાઈ માટે સમય નિશ્ચિત છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે અથવા સૂર્યાસ્ત પછી ઘરની ઝાડૂ ન લગાવવી જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે ઘરમાં બરકત રહેતી નથી. આ આદત ઘરમાં દરિદ્રતા નોતરે છે.


દાન કરવુંઃ રાત્રે ભૂલથી પણ દાન ન કરવું. આમ કરવાથી તમારે આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જમ્યા પછી, સૂર્યાસ્ત પછી હળદર, તેલ, દૂધ-દહીં જેવી વસ્તુઓ કોઈને ન અન્યને આપવાથી આર્થિક નુકસાન થઇ શકે છે.


કપડાં ધોવા: રાત્રે કપડાં ધોવા અને સૂકવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. તેથી, સૂર્યાસ્ત પછી કપડાં ધોવા અને સૂકવવાનું ટાળો. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આવી સ્થિતિમાં ઘરની બહાર કપડાં સૂકવવાથી તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે, જેની અસર શરીર પર પડે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો