Vastu Tips:  આપને આપના ઘરમાં સારી ઊંઘ નથી આવતી તો આ બેડરૂમનો અથવા તો ઘરના વાસ્તુદોષના કાણે હોઇ શકે  છે.આ ટિપ્સને અનુસરીને આપ વાસ્તુદોષને નિવારી શકો છો.


આજજકાલ બાળકોથી લઈને વડીલો સુધી  દરેક વ્યક્તિ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. અનિદ્રાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ જો તમને કોઈ શારીરિક સમસ્યા કે માનસિક તણાવ નથી અને તેમ છતાં તમે રાત્રે ઊંઘતા નથી, તો તેનું એક કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે. બેડરૂમમાં વાસ્તુ દોષના કારણે ઊંઘમાં અવરોધ આવી શકે છે.


આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી તમારી સમસ્યા દૂર થઈ શકે છે. સારી ઊંઘ માટે વાસ્તુ અનુસાર તમારા પલંગને કેવી રીતે ગોઠવવો તે જાણો.


દિશા મહત્વપૂર્ણ છે


 વાસ્તુશાસ્ત્રમાં સ્થાન અને દિશાને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સૂવા માટે પણ પથારી યોગ્ય દિશામાં હોવી ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં પલંગ રાખવા માટે દક્ષિણ કે પશ્ચિમ દિશા વધુ સારી માનવામાં આવે છે. કારણ કે તે પૂર્વ અને ઉત્તર દિશામાં ખાલી જગ્યા છોડી દે છે.


આ પ્રકારનો બેડ  ન રાખવો


વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રિકોણાકાર આકારના પલંગનો ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ. એટલું જ નહીં, પલંગને ત્રિકોણાકાર આકારની જગ્યાએ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષ સર્જાય  છે.


બેડ સાફ રાખો


બેડ હંમેશા સાફ રાખો. ગંદા પલંગમાં સૂવાથી રાત્રે ખરાબ સપના આવે છે જે ઊંઘને ​​અસર કરે છે.  પથારીમાં વધુ પડતા પુસ્તકો અથવા ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ જેમ કે મોબાઇલ ફોન અને લેપટોપ વગેરે ન રાખો. ધ્યાન રાખો કે પલંગની નીચે ગંદકી ન હોવી જોઈએ.


બેડની સામે ન રાખો આ વસ્તુઓ


 બેડની બરાબર સામે બહુ મોટો અરીસો ન હોવો જોઈએ. ખાસ કરીને કપલ્સ બેડરૂમમાં બેડની સામે અરીસો ન રાખો. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે. બેડની સામે મૃત પૂર્વજો અથવા કોઈપણ હિંસક ચિત્ર અથવા પેઇન્ટિંગ મૂકશો નહીં.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.