Chaitra Navratri 2025: ચૈત્રી નવરાત્રિનો 30 માર્ચે થશે પ્રારંભ, જાણો ક્યારે છે મહાઅષ્ટમી,જાણો શુભ મુહૂર્ત

Chaitra Navratri 2025: વૈદિકહિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે.

Continues below advertisement

Chaitra Navratri 2025: વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે, જે બીજા દિવસે એટલે કે 30 માર્ચે બપોરે 12:45 વાગ્યા સુધી ચાલુ રહેશે.તેથી નવરાત્રિનો પ્રથમ દિવસ 30 માર્ચથી ગણાશે, આ વખતે આઠ જ દિવસની નવરાત્રિ હશે એટલે કે નૌમ અને આઠમ એક જ દિવસે આવશે એટલે કે અષ્ટમી 6 એપ્રિલે છે.

Continues below advertisement

હિંદુ ધર્મમાં ચૈત્રી નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દર વર્ષે ચૈત્ર શુક્લ એકમથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. નવરાત્રિના નવ દિવસ શક્તિ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે. આ નવ દિવસો દરમિયાન દેવીના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવી ધાર્મિક માન્યતા છે કે નવરાત્રિના નવ દિવસો દરમિયાન શક્તિની ઉપાસના કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. તારીખોમાં હેરાફેરીને કારણે ક્યારેક નવ દિવસનો આ તહેવાર 8 દિવસનો બની જાય છે. આ વર્ષે નવરાત્રિ કેટલા દિવસની છે અને ક્યારે શરૂ થઈ રહી છે? આવો જાણીએ

ક્યારે છે શુભ મૂહૂર્ત

વૈદિક હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ આ વર્ષે 29 માર્ચે સાંજે 4:32 વાગ્યે શરૂ થઈ રહી છે. જે બીજા દિવસે એટલે કે 30મી માર્ચે બપોરે 12.45 વાગ્યા સુધી ચાલશે. આવી સ્થિતિમાં, ઉદયા તિથિ અનુસાર, ચૈત્ર શુક્લ એકમ  તિથિ આ દિવસથી જ નવરાત્રિ શરૂ થશે. આ વખતે નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી હશે, અષ્ટમી અને નવમી તિથિ એક જ દિવસે એટલે કે 9 એપ્રિલે હશે.

નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

Continues below advertisement
Sponsored Links by Taboola