Chanakya Niti:ચાણક્યની માનીએ તો વ્યક્તિ જ્યારે ખોટી આદતોને જીવનમાં પ્રવેશવા દે છે. તો તે તેના લક્ષ્યથી ભટકી જાય છે. અથવા તો તેમને એ સફળતા પ્રાપ્ત નથી થતી. જેના માટે તેમણે સપના જોયા હોય,. સફળતા માટે વ્યક્તિએ ખોટી આદતોથી દૂર રહેવું જોઇએ. જો આપ કોઇ મોટું લક્ષ્ય લઇને આગળ જઇ રહ્યાં હો તો બહુ ઝડપથી આ ખોટી આદતોને દૂર કરી દેવી જોઇએ. જીવનમાં શિસ્ત., સમય પાલન સહિતની કેટલીક આદતો દૂર કરવી જોઇએ.


 દરેક વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે દરેક  વ્યક્તિ તેમના સ્તરે દરેક શક્ય પરિશ્રમ કરે છે અને પ્રયાસ પણ કરે છે. પરંતુ ક્યારેક ક્યારેક કોઇ વ્યક્તિ તે સફળતાને પ્રાપ્ત નથી કરી શકતો., જેની તેને કલ્પના હતી.


ચાણક્ય નિતી કહે છે કે, વ્યક્તિને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જોઇએ. વ્યક્તિએ ખોટી આદતોથી હંમેશા દૂર રહેવું જોઇએ. આવો જાણીએ  કઇ આદતોની જીવનમાંથી દૂર કરવાથી સફળતા મળે છે.


ગલત સંગતથી દૂર રહો
ચાણક્ય નિતી અનુસાર વ્યક્તિએ તેની સંગતને લઇને હંમેશા ગંભીર રહેવું જોઇએ. ગલત સંગત પ્રગતિમાં બાધક બને છે. જે આ વાતને સમય રહેતા સમજી જાય છે. તે પ્રગતિ કરી શકે છે.


પરિશ્રમથી દૂર ન ભાગો
ચાણક્ય કહે છે કે, પરિશ્રમમાં જ જીવનનું લક્ષ્ય છુપાયેલું છે. જે વ્યક્તિ ખાસ તો યુવાવસ્થામાં પરિશ્રમ નથી કરતો, તે વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળતા પ્રાપ્ત નથી કરતી શકતો. તેથી વ્યક્તિએ ક્યારેય પરિશ્રમ ન કરવો જોઇએ.


અધીરા ન બનવું
સફળતા માટેની બીજી શરત એ પણ છે કે, ધીરજ બનાવી રાાખવી. સફળતા માટે અધીરા ન બનવું અને ઉતાવળમાં કોઇ એવી ભૂલ ન કરવી જે સફળતા માટે બાાધક બને માટે ધેર્ય રાખવું જરૂરી છે.


દરેક કાર્યને સમયસર કરો
જે લોકો સમયની કિંમત નથી કરતા. તેને સફળતા ક્યારેય હાંસિલ નથી થતી. સમય જ જિંદગી છે. જે સમયનો વેડફાટ કરે છે. તે આગળ જઇને પસ્તાય છે. જીવનમાં શિસ્તને ઉતારવાથી સમયસર દરેક કાર્ય થાય છે. સમયરસ દરેક કાર્ય પૂર્ણ કરવા પણ સફળતા માટેનું એક મહત્વનું સોપાન છે.