Akshaya Tritiya 2022: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. અક્ષય તૃતીયાને અખા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજનો દિવસ શુભ અને માંગલિક કાર્યો માટે ખૂબ જ શુભ છે. અક્ષય તૃતીયાનો દિવસ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. તેને ઉજવવા પાછળ અનેક માન્યતાઓ રહેલી છે. આ વખતે અક્ષય તૃતીયા 3 મે, 2022 ના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષીઓના મતે મંગળ રોહિણી નક્ષત્રના શોભન યોગમાં વર્ષ 2022ની અક્ષય તૃતીયા મનાવવામાં આવશે. જ્યોતિષીઓનું કહેવું છે કે લગભગ 50 વર્ષ પછી ગ્રહોનો આવો શુભ સંયોગ બની રહ્યો છે. આ સિવાય 30 વર્ષ પછી અક્ષય તૃતીયાનો શુભ યોગ આવી રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. આવા શુભ યોગમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ અનેક ગણી વધી જાય છે.


અક્ષય તૃતીયા પર ગ્રહોની સ્થિતિ


જ્યોતિષીય ગણતરી મુજબ આ વર્ષે વૈશાખ સુદ ત્રીજ પર લગભગ 50 વર્ષ પછી બે ગ્રહો ઉચ્ચ રાશિમાં બિરાજમાન થશે. બે ગ્રહોની ઉચ્ચ રાશિમાં અને બે ગ્રહોની સ્વ-રાશિમાં હાજરીથી શુભ કાર્યોનું પુણ્યફળ અનેક ગણી વધી જાય છે. અક્ષય તૃતીયા 2022 ના રોજ, ચંદ્ર તેની ઉચ્ચ રાશિ વૃષભમાં હશે અને શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં હશે. જ્યારે શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન થશે અને ગુરુ સ્વરાશિ મીન રાશિમાં રહેશે. જ્યોતિષમાં, અક્ષય તૃતીયા પર ચાર ગ્રહોની સ્થિતિ મહાન લાભની પ્રાપ્તિની તક દર્શાવે છે. 


અક્ષય તૃતીયા શુભ મુહૂર્ત 2022


અક્ષય તૃતીયા તિથિ આરંભઃ મંગળવાર, 3 મે 2022 ના રોજ સવારે 05:19


અક્ષય તતીયા તિથિ સમાપનઃ 04 મેના રોજ સવારે 07:33 વાગ્યે


રોહિણી નક્ષત્રઃ 3 મે સવારે 12:34 થી 04 મે 03:18 સુધી રહેશે.


અક્ષય તૃતીયાએ આ ચીજોનું કરો દાન


અક્ષય તૃતીયાનો દિવસ શુભ અને માંગલિક કાર્યો માટે શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે નવા કપડાં, ઘરેણાં, ઘર-ગાડી વગેરેની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા ઘણા રાજ્યોમાં પણ અક્ષય તૃતીયાના દિવસે સોનું અને ચાંદી ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અક્ષય તૃતીયાના દિવસે દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે દાન કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.



  • જલ પાત્રનું દાનઃ હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ અખા ત્રીજના દિવસે જલ પાત્રનું દાન આપવું શુભ માનવામાં આવે છે.

  • ગાયની સેવાઃ અક્ષય તૃતીયાના દિવસે ગાયની સેવા કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. પાણીમાં ગોળ મિક્સ કરીને ગાયને આ પાણી પીવડાવવાથી કે રોટલી ખવડાવાથી અક્ષય પુણ્ય મળે છે.

  • જવ દાનઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તેમના ચરણોમાં જવ અર્પણ કરવા જોઈએ. આ દિવસે જવ દાનનો પણ મહિમા છે.

  • અન્ન દાનઃ હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે અન્ન અર્થાત ચોખા, લોટ અને દાળ વગેરેનું દાન પણ ફળદાયી માનવામાં આવ્યું છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.