Holi 2025 History: રંગોનો તહેવાર હોળી ધામધૂમ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ હિન્દુ ધર્મના ખાસ તહેવારોમાંનો એક છે. હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો રંગોથી રમે છે અને એકબીજાને પર રંગો લગાવે છે. પિચકારીથી એકબીજા પર પાણી ફેંકે છે. આ વર્ષે હોળી 13 માર્ચે અને ધૂળેટી 14 માર્ચ 2025ના રોજ આવશે.

હોળી એ ભારતના પ્રાચીન તહેવારોમાંનો એક છે. જો આપણે હોળીની શરૂઆત અથવા હોળીના ઇતિહાસ વિશે વાત કરીએ, તો હોળીનું વર્ણન ઘણી પૌરાણિક વાર્તાઓમાં જોવા મળે છે. ચાલો જાણીએ કે હોળીનો ઇતિહાસ કેટલો જૂનો છે અને સૌપ્રથમ હોળી કોણે રમી હતી.

પૃથ્વી પહેલા દેવલોકમાં હોળી રમાતી હતી

પૃથ્વી પર પહેલા સ્વર્ગમાં રંગોથી હોળી રમાઇ હતી. હોળી સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓમાંથી એક વાર્તા ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે સંબંધિત છે. હરિહર પુરાણની કથા અનુસાર, વિશ્વની પહેલી હોળી ભગવાન મહાદેવ દ્વારા રમવામાં આવી હતી. આ કથા પ્રેમના દેવતા કામદેવ અને તેમની પત્ની રતિ સાથે સંબંધિત છે. આ કથા અનુસાર, જ્યારે ભગવાન શિવ કૈલાશ પર ધ્યાનમાં લીન હતા ત્યારે તારકાસુરને મારવા માટે કામદેવ અને રતિએ શિવને ધ્યાનમાંથી જગાડવા માટે નૃત્ય કરવાનું શરૂ કર્યું. રતિ અને કામદેવના નૃત્યથી ભગવાન શિવનું ધ્યાન ભંગ થયું હતું જેના કારણે શિવ ક્રોધિત થયા અને તેમણે પોતાના ક્રોધની અગ્નિથી કામદેવને બાળી નાખ્યા. જ્યારે રતિ પ્રાયશ્વિતમાં વિલાપ કર્યો તો શિવજીને રતિ પર દયા આવી અને તેમણે કામદેવને ફરીથી જીવિત કર્યા હતા. આ ખુશીમાં રતિ અને કામદેવે બ્રજ મંડળમાં બ્રહ્મ ભોજનનું આયોજન કર્યું, જેમાં દેવી-દેવતાઓ પણ સામેલ થયા હતા. રતિએ ચંદનનું તિલક લગાવીને ખુશી મનાવી હતી. એવું કહેવાય છે કે આ દિવસ ફાલ્ગુની પૂર્ણિમાનો હતો.

હોળી સાથે સંબંધિત બીજી એક પૌરાણિક વાર્તા હરિહર પુરાણ સાથે જોડાયેલી છે. આ મુજબ, બ્રહ્મ ભોજનના આનંદમાં ભગવાન શિવે ડમરુ વગાડ્યું અને ભગવાન વિષ્ણુએ વાંસળી વગાડી હતી. જ્યારે માતા પાર્વતીએ વીણાના સૂરો છેડ્યા ત્યારે દેવી સરસ્વતીએ વસંતના રાગમાં ગીતો ગાયા હતા. એવું માનવામાં આવે છે કે ત્યારથી ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે ગીતો, સંગીત અને રંગો સાથે હોળીનો ઉત્સવ ઉજવવામાં આવવા લાગ્યો હતો.

સૌ પ્રથમ દેવતાને રંગો અર્પણ કરવામાં આવે છે

આ જ કારણ છે કે હોળી રમતા પહેલા દેવી-દેવતાઓને રંગો કે અબીલ અર્પિત કરવાની પરંપરા છે. હોળી પહેલા હોલિકા દહન પ્રગટાવવામાં આવે છે અને હોલિકા દહનની રાખથી શિવલિંગનો અભિષેક કરવો પણ શુભ માનવામાં આવે છે. આ પછી તમે તમારા મનપસંદ રંગોથી હોળી રમી શકો છો. આ રીતે રંગોનો તહેવાર હોળી પરસ્પર પ્રેમ અને સ્નેહમાં વધારો કરે છે. જીવનમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો મહત્વપૂર્ણ છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા કે માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી કે માન્યતાનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.