Diwali 2023, Labh Pancham Shubh Muhurat: દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યાં છે, એક પછી એક દિવાળીના તહેવારો આવી રહ્યાં છે અને તેનું હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં આગવુ મહત્વ છે. દિવાળીના મહાપર્વ પર રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનની દેવી માતા લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજના દિવસે માતા લક્ષ્મી પોતાની સવારી લઈને પૃથ્વી પર ભ્રમણ કરવા આવે છે. જેમના સ્વાગત માટે લોકો પોતાના ઘરને માંગલિક પ્રતીકોથી સજાવીને દિવા પ્રગટાવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રે ગણેશ-લક્ષ્મીની વિધિ-વિધાન સાથે પૂજા કરવા પર વ્યક્તિની દરેક આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને તેમને ઘર ધન-ધાન્યથી ભરી દે છે. 


આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ કે વિક્રમ સંવત 2080ના વર્ષમાં કેવા રહેશે મુહૂર્ત અને ખાસ કરીને લાભ પાંચમ જેને શુભ દિવસ કહેવામા આવે છે, ત્યારે કયા સમયે છે શુભ ચોઘડિયુ અને મુહૂર્ત.... 


લાભ પાંચમના શુભ મુહૂર્ત -
કારતક સુદ-૫ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ નવા વર્ષે પેઢી ખોલવા નું મુહર્ત 
સમય : સવારમાં ૦૮-૧૮ થી ૦૯-૪૦(  શુભ ) 
બપોરે  ૧૨-૨૫ થી ૧૩-૪૫ (ચલ) માં પેઢી ખોલવી
વિક્રમ સંવત ૨૦૮૦ માર્ચ એન્ડના ચોપડા ખરીદવાનું પણ મુહૂર્ત


 


દિવાળી પર લક્ષ્મીજીની પૂજા કેમ કરવામાં આવે છે?


વિષ્ણુ પુરાણ અનુસાર, સમુદ્ર મંથન દેવતાઓ અને દાનવો વચ્ચે થયું હતું. આ મંથનમાં વિષની સાથે અનેક દુર્લભ વસ્તુઓ અને દેવી-દેવતાઓ સમુદ્ર મંથનમાંથી નીકળ્યા હતા. માન્યતાઓ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના રોજ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી પ્રગટ થયા હતા, તેથી ધનતેરસનો તહેવાર ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે અને અમાવસ્યા એટલે કે દિવાળી પર લક્ષ્મીજી પ્રગટ થયા હોવાના કારણે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે.


લક્ષ્મીજીની સાથે ગણેશજીની પૂજા શા માટે કરવામાં આવે છે?










Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.