Navratri 2025:શારદીય નવરાત્રીનો પ્રારંભ 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ પ્રસંગે ઘણા લોકો 9 દિવસ સુધી ઉપવાસ રાખે છે. જો તમે પણ આ શુભ અવસર પર ઉપવાસ કરી રહ્યાં છો, તો આ સમય દરમિયાન આપને આપની ડાયટ પર વિશેષ ધ્યાન આપવું પડશે.  નવ દિવસ આપને  આહારનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેથી તમને નબળાઈનો અનુભવ ન થાય. ખાસ કરીને આ સમય દરમિયાન ઉપવાસ કરનારાઓએ હેલ્ધી ડાયટ પસંદ કરવી જોઈએ, જેથી તમને ઉર્જાવાન રાખવાની સાથે શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પણ પૂરી કરી શકાય. આવો જાણીએ નવરાત્રિમાં શું ખાવું?

Continues below advertisement

નવરાત્રીમાં ઉપવાસમાં લો આ એનર્જિક ફૂડ

યોગ્ય લોટ પસંદ કરો

Continues below advertisement

ઉપવાસ દરમિયાન ઘઉં ખાવાનું ટાળવામાં આવે છે. એટલા માટે ઘણા લોકો લોટ પસંદ કરવામાં મૂંઝવણ અનુભવે છે. જો તમે કંઈક હેલ્ધી ખાવા ઈચ્છતા હોવ તો આ સમય દરમિયાન  રાજગરાના લોટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને  ઉર્જા મળશે.

ફળનું સેવન અનિવાર્ય છે

વ્રત દરમિયાન લગભગ તમામ પ્રકારના ફળોનું સેવન કરી શકાય છે. જો તમે તમારી જાતને ઉર્જાવાન રાખવા માંગતા હોવ તો આ સમય દરમિયાન સફરજન, કેળા, સંતરા જેવા ફળો ખાઓ. આ સાથે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખવા માટે તમે ગાજર, કાકડી જેવી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો.

ડ્રાયફ્રૂટસ ખાઓ

શરીરને ઉર્જાવાન રાખવા માટે ડ્રાય ફ્રુટ્સ ખાઓ. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી નબળાઈનો અનુભવ થતો નથી. આ દરમિયાન, તમે તમારા આહારમાં કિસમિસ, કાજુ, પિસ્તા અને બદામ જેવા સૂકા ફળોને સ્મૂધી અને શેકમાં મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો.

ડેરી ઉત્પાદનો જરૂરી છે

ઉપવાસ દરમિયાન ડેરી પ્રોડક્ટનો પણ  ઉપયોગ કરો.  ખાસ કરીને તમે તમારા આહારમાં દૂધ, દહીં અને દૂધ જેવી વસ્તુઓનો સમાવેશ કરી શકો છો. આના કારણે તમારા શરીરમાં કેલ્શિયમ અને પ્રોટીનની કમી નહીં રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો